અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને રીવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મ્યુનિ. કમિશ્નર મુકેશ કુરમાર અને વિવિધ ઝોનના ડેપ્યુટી કમિશ્નરો હાજર રહ્યા હતા. આ સિવાય હેલ્તતના ડે. મ્યુનિ. કમિશ્નર અને આરોગ્ય ખાતાના અધિકારીઓ પણ હાજર હતા.
આ બેઠકમાં અગાઉના 35માંથી 6 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર તરીકે ચાલું રાખવાનો નિર્ણય લેવાયો છે. આ સિવાય નવા 30 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે. તેની સામે 29 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે.