અમદાવાદ સ્થિત ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના દરેક સ્ટાફ મેમ્બરના સંપૂર્ણ રસીકરણ બાદ  નિયમો પ્રમાણે હાલમાંજ રેગ્યુલર ક્લાસરૂમ શિક્ષણ શરૂ થઈ ગયું છે. તે પહેલાં ૨૦૨૧-૨૩ PGDM અને  PGDM માર્કેટિંગના કોર્સમાં પ્રવેશ પામેલા વિધ્યાર્થીઓ માટે ઓરીએન્ટેશન પ્રોગ્રામ "સક્ષમ ૨૦૨૧" બી અ ચેન્જ મેકર ઓન લાઈન યોજાયો હતો. આ છ દિવસીય ઓરીએન્ટેશન પ્રોગ્રામમાં દરેક દિવસે ઉત્તમ મેનેજર બનવા માટેના એક એક જરૂરી ગુણો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ચર્ચા કરવામાં આવી હતી. 
 આ ઓરીએન્ટેશન પ્રોગ્રામનુ ઉદ્ઘાટન "શાંતિ બિઝનેસ સ્કૂલ"ના ડિરેક્ટર "ડો. નેહા શર્મા" દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યુંકે "સક્ષમ"નો ઉદ્દેશ્ય અમારા વિધ્યાર્થીઓની ક્ષમતા વધારવા નો છે, જેથી તેઓ માત્ર ઉધોગ માટે તૈયાર વ્યવસાયિક જ નહીં પરંતુ સમાજ માટે  ચેન્જ મેકર માઈન્ડ સેટ ધરાવતા તૈયાર નાગરિકો બને."


 આ ઓરીએન્ટેશન પ્રોગ્રામ દરમ્યાન "કર્નલ રાહુલ શર્મા" એ વિધ્યાર્થીઓને  જણાવ્યું કે "દરેક વ્યક્તિ પોતાની સ્ટ્રેંગથ અને વિકનેસ અંગે સભાન બને તે મહત્વનું છે. વઘુમા તેમણે જણાવ્યું કે સમગ્ર સંસારમાં મનુષ્ય જ એકમાત્ર જીવ છે જે પોતાની વિકનેસને દૂર કરી શકે છે અને તેને સ્ટ્રેંગથમાં ફેરવી શકે છે, અન્ય કોઈ જીવમાં આ ક્ષમતા નથી."


અલગ અલગ સેક્ટરમાંથી આવતા જાણીતા એક્સપર્ટસએ વિધ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. "કર્નલ રાહુલ શર્મા, ડો. રોહિત સ્વરૂપ, ડો જવાહર, વિષ્રુત પંડ્યા, રેબેકા સુદાન, ડો. હિમાંશુ બુચ વગેરેએ વિધ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ બધા સંવાદમાં ઈમ્પોર્ટન્સ ઓફ નોઈંગ ઓન સ્ટ્રેંગથ એન્ડ વિકનેસ, ડીઝાઈન થિંકિંગ, પાવર ઓફ ડ્રેસિંગ,  ઈમ્પોર્ટન્સ ઓફ વેલબિઈગ્સ વિષે ઊંડાણમાં ચર્ચા કરવામાં આવી હતી