અમદાવાદઃ દિવાળી પછી અમદાવાદમાં કોરોનાએ ઉથલો મારતા આજ રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દીધો છે. અમદાવાદમાં શનિવાર અને રવિવારના કરફ્યુના કારણે સ્પર્ધાત્મક પરીક્ષા પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. રવિવારે દેશભરમાં લેવાનાર સ્ટાફ સિલેકશનની પરીક્ષાના આયોજનને લઈ વિદ્યાર્થીઓમાં અવઢવ છે.


દેશભરમાં એક સાથે સ્ટાફ સિલેક્શનની પરીક્ષા યોજાનર છે. અમદાવાદમાં 4 કેન્દ્રો પર 1100 ઉમેદવાર પરીક્ષા આપવાના છે. Deo કચેરી અને કલેક્ટર કચેરી મારફતે પરીક્ષા લેવાનાર છે. બન્ને કચેરી તરફથી દિલ્હી સ્ટાફ સિલેક્શન કચેરીને અમદાવાદની સ્થિતિ અંગે જાણ કરવામાં આવી છે.