અમદાવાદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. ગુરુવારે (12 જૂન) આ વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લંડન જઈ રહ્યું હતું. વિજય રૂપાણી તેમના દિકરીને મળવા લંડન જઈ રહ્યા હતા. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. સીઆર પાટીલે કહ્યું કે તેઓ તેમના પરિવારને મળવા જઈ રહ્યા હતા, તેઓ આ અકસ્માતનો ભોગ બન્યા. ભગવાન તેમના આત્માને પણ શાંતિ આપે.

Continues below advertisement

પત્ની અને પુત્ર વિદેશથી અમદાવાદ આવી રહ્યા છે 

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની લંડનથી અને પુત્ર અમેરિકાથી અમદાવાદ આવવા માટે રવાના થયા છે. અકસ્માતનો ભોગ બનેલા વિમાનમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો હતા.

Continues below advertisement

અકસ્માતમાં એક વ્યક્તિનો જીવ બચી ગયો

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે અકસ્માતમાં બચી ગયેલા એક વ્યક્તિ વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. વિમાન એક ઇમારત પર પડ્યું અને ટેકઓફ થયાની થોડી મિનિટોમાં જ ક્રેશ થયું.

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે ANI સાથે વાત કરતા જણાવ્યું છે કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનની સીટ 11A માંથી એક વ્યક્તિ જીવિત મળી આવી છે. આ વ્યક્તિની હાલત ગંભીર હોવા છતાં, તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે, અને ડોકટરો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

અગાઉ, પોલીસ કમિશનર જી.એસ. મલિકને ટાંકીને એવું કહેવામાં આવ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચી શક્યું નથી. પરંતુ, એએનઆઈ સાથે સાથેની વાતચીતમાં તેમણે પોતાના અગાઉના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. એક વ્યક્તિ હજુ પણ જીવિત છે, તેની સારવાર ચાલી રહી છે."

વિમાનમાં સવાર 242 લોકોમાંથી 169 ભારતીય, 7 પોર્ટુગીઝ, 53 બ્રિટિશ અને એક કેનેડિયન નાગરિક હતા. આ અકસ્માત અમદાવાદના મેઘનાની નગર વિસ્તારમાં થયો હતો, જે એરપોર્ટથી થોડા અંતરે આવેલો છે. 

વિમાનમાં 242  લોકો સવાર હતા

ગુરુવારે (12 જૂન, 2025) બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી એર ઇન્ડિયાનું એક વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાનમાં 10 ક્રૂ મેમ્બર સહિત 242  લોકો સવાર હતા. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ (AP)ના રિપોર્ટ મુજબ વિમાન દુર્ઘટનામાં  તમામ 242  લોકોના મોત થયા છે. વિમાનમાં 242  લોકો સવાર હતા, જેમાં મુસાફરો અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. 

વિમાનમથક પર સેવાઓ ફરી શરૂ થઈ

ગુજરાતના અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયાના કલાકો પછી, સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સેવાઓ ફરી શરૂ થઈ ગઈ છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક વહીવટીતંત્ર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકે જણાવ્યું હતું કે એરપોર્ટ હવે મર્યાદિત ફ્લાઇટ્સ સાથે કાર્યરત છે. મુસાફરોને માહિતી માટે એરલાઇન્સનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.