Gujarat Politics:લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી પહેલા ભાજપમાં પણ આંતરિક વિખવાદની સ્થિતિ સપાટી પર જોવા મળી રહી  છે. સી.જે.ચાવડાને ટિકિટ ફાળવતા ગોવિંદ પટેલે નારાજગીવ્યક્ત કરી હતી,  મહેસાણાના વિજાપુર વિધાનસભામાં ભાજપના ઉમેદવારના નામની જાહેરાત બાદ ભાજપ નેતા ગોવિંદભાઈ પટેલે નારાજગી વ્યક્ત કરતા રાજીનામુ આપ્યું હતું. જો કે હવે તેમણે રાજીનામુ પરત ખેચ્યું છે. ગોવિંદ પટેલના રાજીનામા બાદ રજની પટેલ, રત્નાકરજીએ  ગોવિંદ પટેલ સાથે બેઠક કરી હતી.ઉલ્લખનિય છે કે, ગોવિંદ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે, ગોવિંદ પટેલે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી  રાજીનામુ આપ્યું હતું. જો કે મુલાકાત બાદ રાજીનામું પરત લેવામાં આવ્યું છે. ભાજપ હાઈકમાન્ડ ને મળીને ગોવિંદભાઇની નારાજગી દુર કરવામાં આવી છે.


Controversial statement: ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ? જાણો શું છે મામલો


રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ વિશેના વિવાદિત નિવેદન બાદ હવે તેમની સામે  કોર્ટમાં પણ  ફરિયાદ નોંધાઇ છે. કોંગ્રેસના અગ્રણી આદિત્યસિંહ ગોહિલે કોર્ટોમા ફરિયાદ કરી છે.   ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવા મુદ્દે કોંગ્રેસના ક્ષત્રિય આગેવાન આદિત્યસિંહ ગોહિલ દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. રૂપાલા સામે આઇ પી સી કલમ 499 અને 500 મુજબ બદનક્ષી અંગે ફરિયાદ કરવામાં આવી છે. શાબ્દિક ટિપ્પણીને લઈને રૂપાલાની મુશ્કેલીમાં  વધારો થયો છે. વિવાદ પૂર્ણ કરવા ભાજપના મોવડી મંડળની કવાયત વચ્ચે ક્ષત્રિય આગેવાનો માનાવવાના મૂડમાં નથી.


પરષોત્તમ રૂપાલા સામે ફરિયાદ કરનાર કોંગ્રેસના અગ્રણી આદિત્યસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “મેં ગઈકાલે રાજકોટની કોર્ટમાં પરષોત્તમ  રૂપાલા વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. આગામી 15 તારીખના રોજ મારે સાક્ષીઓ સાથે હાજર રહેવા કોર્ટએ મને આદેશ કર્યો છે. રૂપાલાના નિવેદન બાદ કોઈ માફી ન હોઈ શકે. ગોંડલના સંમેલન વિશે મને ખબર નથી.પરષોતમ રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવામાં આવે કારણ કે નિવેદન બાદ રૂપાલનો સમગ્ર રાજ્યના વિરોધ થઈ રહ્યો છે.


તો બીજી તરફ વિવાદના વંટોળને ડામવા માટે ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે. પરશોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહને ભાજપે ડેમેજ કન્ટ્રોલની જવાબદારી સોંપી છે. જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર, જિલ્લા ભાજપના આગેવાનો અને  ક્ષત્રિય સમાજના આગેવાનો બેઠકમાં  ઉપસ્થિત રહેશે.