Karnataka Elections 2023: ભાજપના સાંસદ હવે કર્ણાટકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે આ અંગે એબીપી ન્યૂઝ સાથે વાત કરી હતી.


કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. સુરત બાદ હવે કર્ણાટકમાં પણ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે. બીજેપી સાંસદ લહર સિંહ સરોયાએ એબીપી ન્યૂઝ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં કહ્યું કે રાહુલે કર્ણાટકમાં ભ્રષ્ટાચારનું રેટ કાર્ડ જારી કર્યું છે. જેમાં તેમણે અમારો રેટ નક્કી કર્યો છે.


લહરસિંહ સરોયાએ વધુમાં કહ્યું કે, તેણે જીવનમાં ક્યારેય બેઈમાનીની એક ચા પણ પીધી નથી. તેણે કહ્યું, 'હવે હું રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરીશ. તેણે કહ્યું કે તે તેના વકીલોના સંપર્કમાં છે અને તેની તૈયારી કરી રહ્યો છે. તેમણે કહ્યું કે તેઓ રાહુલના આ ભ્રષ્ટાચાર રેટ કાર્ડથી દુખી છે.


'રાહુલ ગાંધીના આરોપોથી દુઃખ થયું'


સરોયાએ કહ્યું કે જે રીતે રાહુલ ગાંધીએ તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે, તેનાથી તેઓ ખૂબ દુખી છે. તેમણે તેને કોંગ્રેસનું શરમજનક વલણ ગણાવ્યું છે. આ માત્ર તેમની જ નહીં પરંતુ સમગ્ર વિભાગ અને સરકારની બદનામી છે.


અગાઉ સુરતમાં માનહાનિનો કેસ નોંધાયો હતો.


 ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 'મોદી સરનેમ' પરના નિવેદનને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેમની સામે સુરતમાં માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને બે વર્ષની સજા થઈ હતી અને તેમની લોકસભાની સદસ્યતા પણ જતી રહી. આ પછી જો કર્ણાટકમાં ફરીથી માનહાનિનો કેસ નોંધાય છે તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે.


Manipur Violence:મણિપુરમાં હિંસામાં 54 લોકોએ ગુમાવ્યાં જીવ, જાણો તોફાનનું મુખ્ય કારણ શું હતું?


Manipur Violence:આ અઠવાડિયે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા હવે ધીમે ધીમે શાંત થઈ રહી છે. રાજ્યમાં આર્મી-આસામ રાઈફલ્સ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) ની તૈનાતી બાદ સ્થિતિમાં સુધારો થયો છે. દરમિયાન, મણિપુર સરકારે હિંસામાં જીવ ગુમાવનારાઓનો સત્તાવાર આંકડો જાહેર કર્યો છે.  હિંસાની અલગ-અલગ ઘટનાઓમાં 54 લોકોના મોત થયા છે. જોકે, બિનસત્તાવાર આંકડો ઘણો વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે.


દરમિયાન, શનિવારે ઇમ્ફાલ ઘાટીમાં બજારો અને દુકાનો ખુલી રહી છે. તેમજ કેટલાક વાહનો રસ્તાઓ પર જોવા મળ્યા હતા. દરમિયાન રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત જોવા મળી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,000થી વધુ સુરક્ષા દળોના જવાનો તૈનાત છે. આ કડક સુરક્ષાના કારણે લોકો ઈમ્ફાલમાં રસ્તાઓ પર દેખાવા લાગ્યા છે.


જણાવવામાં આવ્યું છે કે હિંસામાં માર્યા ગયેલા 54 લોકોમાંથી 16ના મૃતદેહને ચુરાચંદપુરની જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. અને 15 મૃતદેહો જવાહરલાલ નેહરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં રાખવામાં આવ્યા હતા. આ સિવાય ઇમ્ફાલના પશ્ચિમમાં લેમફેલમાં પ્રાદેશિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ દ્વારા 23 મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.


કેમ ભડકી હિંસા