2000 Rupee Notes Exchange: 2000 રૂપિયાની નોટ બદલવા માટે રિઝર્વ બેંક દ્વારા લોકોને 131 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તેવામાં લોકોને સવાલ ઉભો થઈ રહ્યો છે કે, શું પોસ્ટ ઓફિસમાં પણ રૂપિયા 2000 હજારની નોટ બદલી શકાશે. પરંતુ આરબીઆઈએ સ્પષ્ટ ગાઈડલાઈન જાહેર કરી છે કે, કઈ કઈ જગ્યાએ આ ચલણી નોટો બદલી શકાશે. 


23 મે, 2023થી 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા શરૂ થઈ ગઈ છે. આરબીઆઈના આ નિર્ણય બાદ જે લોકો પાસે પહેલાથી જ 2000 રૂપિયાની ચલણી નોટો છે તેઓ આ નોટો બેંક ખાતામાં જમા કરાવી શકશે અથવા બેંક શાખામાં જઈને અન્ય મૂલ્યોની નોટો દ્વારા બદલી શકશે. આરબીઆઈનું કહેવું છે કે, સામાન્ય લોકો 2000 રૂપિયાની નોટ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ સાથે, તે તેને ચુકવણી તરીકે પણ પ્રાપ્ત કરી શકશે.


આરબીઆઈના જણાવ્યા પ્રમાણે ફક્ત બેંકો અથવા RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં રૂપિયા 2000ની નોટ જમા અને બદલી શકાશે. પોસ્ટ ઓફિસ એટલે કે પોસ્ટ ઓફિસને આ વખતે નોટો બદલવાથી દૂર રાખવામાં આવી છે. જો કે, તમે પોસ્ટ ઓફિસમાં રૂ. 2000ની નોટ જમા કરાવી શકો છો કારણ કે તે લિગલ ટેન્ડર છે. આ માટે પોસ્ટ ઓફિસમાં તમારું એકાઉન્ટ KYC વેરિફાઈડ હોવું જોઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર 2000 રૂપિયાની નોટ બદલવાની સુવિધા માત્ર બેંકો અને આરબીઆઈમાં જ શક્ય છે. 2000 રૂપિયાની નોટ બેંકોમાં જમા કરાવી શકાશે.


બેંકોમાં 2000 રૂપિયાની નોટો બદલવા પર કોઈ પ્રતિબંધ નહીં હોય. આ અંગે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. 20000 રૂપિયા સુધી એટલે કે, 2000 રૂપિયાની 10 નોટો બેંકો અથવા RBI કેન્દ્રો પર બદલી શકાય છે. જ્યારે બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ પણ જમા કરાવી શકાય છે અને આ માટે કોઈ મર્યાદા નથી. આરબીઆઈએ સામાન્ય લોકોને 2000 રૂપિયાની નોટ બદલવા અથવા બેંકમાં જમા કરાવવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવાની અપીલ કરી છે.


પોસ્ટ ઓફિસમાં માત્ર 2000 રૂપિયાની નોટ જ જમા કરાવી શકાશે. પરંતુ આ માટે ખાતાધારકનું કેવાયસી હોવું ખૂબ જ જરૂરી છે. પરંતુ પોસ્ટ ઓફિસમાં નોટો બદલી શકાતી નથી.


2000 રુપિયાની નોટ બદલવા આધાર કાર્ડની સાથે ફોર્મ ભરવું પડશે ? SBIએ કરી મહત્વની જાહેરાત, જાણો તેના વિશે


ભારતની સૌથી મોટી  બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેની શાખાઓને એક સત્તાવાર મેમોમાં સ્પષ્ટતા કરી હતી કે ₹ 2,000 ની નોટો બદલતી વખતે અથવા જમા કરતી વખતે કોઈ ફોર્મ અથવા સ્લિપની જરૂર રહેશે નહીં.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે આધાર કાર્ડની સાથે ફોર્મ ભરવાનું રહેશે. આના પર SBIએ એક ગાઈડલાઈન જારી કરીને કહ્યું કે બે હજાર રૂપિયાની નોટ બદલવા માટે લોકોએ આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા કોઈપણ ફોર્મ જેવા દસ્તાવેજો ભરવાની જરૂર રહેશે નહીં. તમે કોઈપણ શાખામાં જઈને નોટો બદલી અથવા જમા કરાવી શકો છો.