8th pay commission salary calculator: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો હાલ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકાર દ્વારા કમિશનની રચના અને તેની કામગીરીની શરતો (ToR) નક્કી થતાં જ લોકોની ઉત્સુકતા બેવડાઈ ગઈ છે. 8મા પગાર પંચના અમલથી દેશના 5.5 મિલિયન સરકારી કર્મચારીઓ અને 6.9 મિલિયન પેન્શનરોના પગાર અને પેન્શનમાં મોટો ઉછાળો આવશે. નવો પગાર કેટલો વધશે, ફિટમેન્ટ ફેક્ટર શું હશે, કર્મચારીઓની મુખ્ય માંગણીઓ શું છે અને આ પંચ ક્યારે લાગુ થશે, તે તમામ ગણિત અને વિગતો અહીં સરળ ભાષામાં સમજીએ.

Continues below advertisement

ફિટમેન્ટ ફેક્ટર એટલે શું?

સરળ ભાષામાં કહીએ તો, ફિટમેન્ટ ફેક્ટર એક એવો ગુણાંક (Multiplier) છે જેના આધારે કર્મચારીઓના મૂળ પગાર (બેઝિક સેલરી) અને પેન્શનમાં વધારો નક્કી કરવામાં આવે છે. અગાઉ 7મા પગાર પંચ વખતે સરકારે 2.57 નું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કર્યું હતું. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર ₹15,000 હોય, તો 2.57 ના ફિટમેન્ટ ફેક્ટર સાથે ગુણાકાર કરતા તેનો નવો પગાર સીધો ₹38,550 થઈ જાય છે.

Continues below advertisement

8મા પગાર પંચમાં કેટલો વધશે પગાર?

હાલ કર્મચારી સંગઠનો સરકાર પાસે ફિટમેન્ટ ફેક્ટર 3 થી લઈને 5 સુધી રાખવાની જોરદાર માંગ કરી રહ્યા છે. જોકે, સરકારી તિજોરી પર પડનારા આર્થિક બોજને ધ્યાનમાં રાખતા સરકાર 2.64 ની આસપાસ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે તેવી પૂરી શક્યતા છે. લઘુત્તમ વેતન નક્કી કરવાની પદ્ધતિમાં પણ ફેરફાર થઈ શકે છે.

પગારમાં કેટલો વધારો થશે તે સંપૂર્ણપણે આ ફિટમેન્ટ ફેક્ટર પર જ નિર્ભર છે. જો સરકાર 3.0 નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે છે, તો ₹15,000 નો મૂળ પગાર વધીને સીધો ₹45,000 થઈ જશે. નિષ્ણાતોના અંદાજ મુજબ, 8મું પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓના કુલ પગારમાં 15 થી 25 ટકાનો જબરદસ્ત વધારો જોવા મળી શકે છે. જોકે, આ અંગે આખરી નિર્ણય કમિશનની ભલામણો અને સરકારની મંજૂરી બાદ જ લેવાશે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: 8મા પગાર પંચ પહેલાં જુલાઈમાં પગાર વધારાની શક્યતા

કર્મચારીઓની અન્ય માંગણીઓ

કર્મચારી સંગઠનો માત્ર પગાર વધારો જ નહીં, પરંતુ પેન્શન અને નિવૃત્તિ પછી મળતા લાભોમાં પણ મોટા સુધારા ઈચ્છે છે. આ માટે આયોગ હાલ અલગ-અલગ રાજ્યોનો પ્રવાસ ખેડીને કર્મચારીઓ અને યુનિયનો પાસેથી સીધા સૂચનો મંગાવી રહ્યું છે.

8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?

સરકારે આ પગાર પંચને પોતાનો અંતિમ રિપોર્ટ સોંપવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. આનો અર્થ એ કે આયોગે જૂન-જુલાઈ 2027 સુધીમાં પોતાની તમામ ભલામણો સરકાર સમક્ષ રજૂ કરવાની રહેશે. ત્યારપછી જ સરકાર આ રિપોર્ટનો અભ્યાસ કરી અંતિમ નિર્ણય લેશે અને તેને દેશભરમાં લાગુ કરશે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: મોંઘવારી નહીં, હવે આ મુજબ નક્કી થશે પગાર? જાણો અપડેટ