UIDAI Update: હવે તમે સરળતાથી ચકાસી શકો છો કે કયો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમારા આધાર સાથે લિંક છે. UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ નાગરિકો માટે એક નવી સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં રહેવાસીઓ તેમના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની ચકાસણી કરી શકશે.

Continues below advertisement

હકીકતમાં, આ બાબતો UIDAIના ધ્યાન પર આવી હતી કે આધાર કાર્ડ ધારકોને ખબર નથી કે તેમના આધાર સાથે કયો મોબાઈલ નંબર લિંક છે. આવી સ્થિતિમાં, નાગરિકોને ચિંતા છે કે આધાર પર આવતો OTP અન્ય કોઈ મોબાઈલ નંબર પર તો નથી જઈ રહ્યો. પરંતુ UIDAIની આ સુવિધાને કારણે આધાર ધારકો સરળતાથી તપાસ કરી શકશે કે કયો મોબાઈલ નંબર તેમના આધાર સાથે લિંક છે.

વાસ્તવમાં, ઘણી વખત ખોટા નંબર ફીડને કારણે, લોકો ચિંતા કરે છે કે તેમનો આધાર OTP અન્ય કોઈ મોબાઇલ નંબર પર ન જાય. હવે આ સુવિધા દ્વારા લોકો તેને સરળતાથી ચેક કરી શકશે. અધિકૃત વેબસાઈટ પર 'વેરીફાઈ ઈમેઈલ/મોબાઈલ નંબર' સુવિધા હેઠળ તેનો લાભ લઈ શકાય છે.

Continues below advertisement

મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ચકાસવા માટે, વ્યક્તિએ UIDAIની અધિકૃત વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in અથવા mAadhaar એપની મુલાકાત લેવી પડશે અને ઈમેલ/મોબાઈલ નંબરની ચકાસણી પર ક્લિક કરો. આની મદદથી નાગરિકો જાણી શકશે કે કયો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી તેમના આધાર સાથે લિંક છે. જો કોઈ અન્ય નંબર આધાર સાથે લિંક હશે તો તેને સરળતાથી ટ્રેસ કરી શકાશે અને આધાર કાર્ડ ધારકો તેમના નંબર અપડેટ કરી શકશે.

જો મોબાઈલ પહેલેથી જ વેરિફાઈડ છે તો મેસેજ આવશે કે દાખલ કરેલ મોબાઈલ નંબર અમારા રેકોર્ડમાં પહેલાથી જ વેરિફાઈડ છે. જો કોઈ નાગરિકને ખબર ન હોય કે આધાર માટે નોંધણી દરમિયાન તેણે કયો મોબાઈલ નંબર આપ્યો છે, તો તે Myaadhaar પોર્ટલ અથવા mAadhaar એપ પર જઈને મોબાઈલ નંબરના છેલ્લા ત્રણ અંકો દાખલ કરીને તેને વેરિફાઈ કરી શકે છે.

જો નાગરિકો તેમના ઈમેલ અથવા મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરવા અથવા અપડેટ કરવા ઈચ્છે છે, તો તેમણે આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે.