Aadhaar Pan Link: જેમની પાસે PAN અને Aadhar કાર્ડ છે તેમના માટે મહત્વના સમાચાર છે. જો તમારી પાસે પણ PAN અને આધાર કાર્ડ છે અને તમે તેને હજુ સુધી લિંક નથી કરાવ્યું તો તમારે આવતીકાલ એટલે કે 1લી એપ્રિલે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ આ અંગે માહિતી આપી છે.


પાન કાર્ડ રદ થશે


સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ કહ્યું છે કે જે કરદાતાઓ 31 માર્ચ, 2022 સુધીમાં PAN નંબરને આધાર સાથે લિંક નહીં કરે તેમને 500 રૂપિયાથી લઈને 1,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. બાયોમેટ્રિક આધાર સાથે PAN લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 છે. જો તમે આવતીકાલ સુધીમાં લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ રદ થઈ જશે.


30 જૂન પછી 1000 રૂપિયા આપવા પડશે


સીબીડીટીએ કહ્યું કે જો તમે સમયસર લિંક નહીં કરો તો તમારે 500 રૂપિયા લેટ ફી તરીકે ચૂકવવા પડશે. આ પેનલ્ટી ફી આગામી ત્રણ મહિના એટલે કે 30 જૂન, 2022 સુધીની રહેશે. તે પછી કરદાતાએ 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. તે જ સમયે, PAN ને આધાર સાથે લિંક ન કરવાના કિસ્સામાં, 31 માર્ચ, 2022 થી PAN કાર્ડ નકામું થઈ જશે.


500 થી 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે


AKM ગ્લોબલના અમિત મહેશ્વરીએ જણાવ્યું હતું કે સરકારે PAN ને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા ઘણી વખત લંબાવ્યા બાદ આખરે દંડની રકમની માહિતી જાહેર કરી છે. 1 એપ્રિલ પહેલાના ત્રણ મહિના માટે દંડની રકમ 500 રૂપિયા અને ત્યાર બાદ 1,000 રૂપિયા હશે.


NRI લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે


મહેશ્વરીએ કહ્યું, “બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) ને કેટલીક ચિંતાઓ હોઈ શકે છે કારણ કે કેટલાક કિસ્સાઓમાં તેમની પાસે આધાર નથી. નાંગિયા એન્ડરસન એલએલપીના પાર્ટનર નીરજ અગ્રવાલે જણાવ્યું હતું કે, "આવકવેરા રિટર્ન ફાઇલ કરવા જેવા આવકવેરા સંબંધિત કાર્યોને પૂર્ણ કરવા માટે હવે આધાર નંબરને PAN સાથે લિંક કરવું ફરજિયાત છે."


PAN નો ઉપયોગ ક્યાં થાય છે?


PAN નો ઉપયોગ બેંક ખાતું ખોલવા, સ્થાવર મિલકત ખરીદવા અથવા ઓળખના પુરાવા તરીકે થાય છે. જે કરદાતાઓ PAN ને આધાર સાથે લિંક નથી કરતા તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડશે. નીરજ અગ્રવાલે જણાવ્યું હતું કે, "જેઓ પાસે આવકવેરા પોર્ટલની ઍક્સેસ નથી, તેમના માટે 'લિંકિંગ પ્રક્રિયા' SMS દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે."