Adani Wilmar Share New High: અદાણી વિલ્મરના શેરમાં ઉછાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સતત બીજા દિવસે શેરમાં 20 ટકાની ઉપલી સર્કિટ લાગી છે. ગુરુવારે સવારે, શેર રૂ. 356 પર ખૂલ્યો હતો, પરંતુ રોકાણકારો દ્વારા ભારે ખરીદીને કારણે શેર 20 ટકાના ઉછાળા સાથે રૂ. 386.25 પર પહોંચ્યો હતો. જે બાદ અપર સર્કિટ લાગતાં શેરમાં ટ્રેડિંગ બંધ કરવું પડ્યું હતું.


મંગળવારે શેરબજારમાં અદાણી વિલ્મરનું લિસ્ટિંગ નિરાશાજનક રહ્યું હતું. શેરનો ભાવ IPOની કિંમત રૂ. 230થી નીચે ગયો હતો. પરંતુ પ્રથમ દિવસે શેર 15 ટકાના વધારા સાથે બંધ થયો હતો. પરંતુ તે પછી બે દિવસ સુધી શેરમાં દરરોજ 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે IPOમાં રોકાણ કરનારા રોકાણકારોને અદાણી વિલ્મરે 67 ટકા વળતર આપ્યું છે.


જો માર્કેટ એક્સપર્ટનું માનીએ તો અદાણી વિલ્મરમાં વધારો ચાલુ રહી શકે છે કારણ કે સ્ટોક હજુ મોંઘો થયો નથી. નેસ્લે, બ્રિટાનિયા જેવી FMCG કંપનીઓ સાથે અર્નિંગ રેશિયો એટલે કે PE રેશિયો સાથેની કિંમતની સરખામણી કરીએ તો, અદાણી વિલ્મરનો સ્ટોક 38 ના PE પર મળી રહ્યો છે, જ્યારે નેસ્લેનો 81 થી વધુ અને બ્રિટાનિયાનો PE રેશિયો 55 પર મળી રહ્યો છે.


અદાણી વિલ્મરે IPO દ્વારા રૂ. 3600 કરોડ એકત્ર કર્યા છે. તમને જણાવી દઈએ કે IPOની પ્રાઇસ બેન્ડ 218 થી 230 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે IPOમાં સંપૂર્ણપણે નવો ઈશ્યુ જારી કરવામાં આવ્યો છે, પ્રમોટરે તેનો હિસ્સો વેચ્યો નથી.


ડિસ્ક્લેમર: (અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માહિતીના હેતુ માટે છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABPLive.com પરથી કોઈપણ વ્યક્તિને નાણાંનું રોકાણ કરવાની અહીંથી સલાહ આપવામાં નથી આવતી.)