LIC Profit: દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે LIC એ લિસ્ટિંગના એક વર્ષ પછી તેના રોકાણકારોને 35% નું નકારાત્મક વળતર આપ્યું છે. 17 મે, 2022 ના રોજ શેરબજારમાં પ્રવેશેલી સરકારી વીમા કંપનીના રોકાણકારોએ છેલ્લા એક વર્ષમાં આ શેરમાંથી લગભગ 2 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. અને આજે કંપનીએ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા. વીમા ક્ષેત્રની દિગ્ગજ કંપનીએ બમ્પર નફો કર્યો છે. નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 466% વધીને રૂ. 13428 કરોડ થયો છે.


બજાર બંધ થયા પછી, LICએ તેના ત્રિમાસિક પરિણામો (LIC Q4 પરિણામો) જાહેર કર્યા. ચોથા ક્વાર્ટરમાં LICનો નફો 466 ટકા વધીને 13428 કરોડ રૂપિયા થઈ ગયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં નફો રૂ. 2371 કરોડ હતો. નફાથી ખુશ, વીમા કંપનીએ શેર દીઠ 3 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. માર્ચ ક્વાર્ટરમાં LICની ચોખ્ખી પ્રીમિયમ આવક 8 ટકા ઘટીને રૂ. 1.31 લાખ કરોડ થઈ હતી. જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં રૂ. 1.43 લાખ કરોડ હતો. LICની પ્રથમ વર્ષની પ્રીમિયમ આવક 12 ટકા ઘટીને રૂ. 12,811 કરોડ થઈ છે. જ્યારે એક વર્ષ પહેલા તે 14614 કરોડ રૂપિયા હતો. સંપૂર્ણ નાણાકીય વર્ષ 2022-23 માટે LICનો ચોખ્ખો નફો અનેક ગણો વધીને રૂ. 35,997 કરોડ થયો છે, જે 2021-22માં માત્ર રૂ. 4,125 કરોડ હતો.


રોકાણકારોને પણ ડિવિડન્ડ આપવાનો નિર્ણય


બજાર બંધ થયા બાદ એલઆઈસીએ તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. નફાથી ખુશ, વીમા કંપનીએ તેના રોકાણકારોને ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. LIC એ 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થતા ક્વાર્ટર માટે રૂ. 10 ના ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 3 ના ડિવિડન્ડની ભલામણ કરી છે. આ પહેલા પણ એલઆઈસીએ 25 ઓગસ્ટ 2022ના રોજ તેના રોકાણકારોને 1.50 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી.


અદાણી ગ્રુપના શેર્સમાં 44,670 કરોડનું રોકાણ


અદાણી ગ્રૂપની કંપનીઓમાં સતત ત્રણ સત્રોના ફાયદાને પગલે LICનું રોકાણ મૂલ્ય વધીને રૂ. 44,670 કરોડ થયું હતું. 30 જાન્યુઆરીએ રૂ. 30,122 કરોડ અને 27 જાન્યુઆરીએ રૂ. 56,142 કરોડ હતી. એપ્રિલથી અત્યાર સુધીમાં LICના રોકાણ મૂલ્યમાં રૂ. 5,500 કરોડનો વધારો થયો છે. LIC અદાણી પોર્ટ અને SEZમાં 9.12 ટકા હિસ્સો ધરાવે છે. બુધવારે તેમાં રોકાણનું મૂલ્ય 14,145 કરોડ રૂપિયા હતું. અદાણી એન્ટરપ્રાઇઝિસમાં રોકાણનું મૂલ્ય રૂ. 12,017 કરોડ હતું.