ATM New Rules: આજકાલ દરેક વ્યક્તિ ચોક્કસપણે ATM નો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, તે લોકો માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. 1 મે, 2025થી ATMના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આનો અર્થ એ છે કે ATMના શુલ્ક હવે બદલાઈ રહ્યા છે. આરબીઆઈએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ, અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા હવે મોંઘા થઈ જશે.
1 મે, 2025 થી એક ચોક્કસ મર્યાદા પછી અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા પર પહેલા 17 રૂપિયાનો ખર્ચ થતો, જ્યારે હવે તે 19 રૂપિયાનો ખર્ચ થશે. ઉપરાંત, બેલેન્સ ચેક કરવા માટેનો ચાર્જ પણ 7 રૂપિયાથી વધારીને 9 રૂપિયા કરવામાં આવ્યો છે. બેંક તેના ગ્રાહકોને મેટ્રો શહેરોના અન્ય ATM પર દર મહિને 5 ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા આપે છે અને 3 નોન-મેટ્રો-ફ્રી ટ્રાન્ઝેક્શન્સ આપે છે. આ ઉપરાંત આ વધેલો ચાર્જ ટ્રાન્ઝેક્શન પર વસૂલવામાં આવશે.
ATM ચાર્જ વધશે
ATM ચાર્જ વધારવાનું કારણ એટીએમ નેટવર્ક ઓપરેટર્સ અને વ્હાઇટ લેબલ એટીએમ કંપનીઓ દ્વારા ઇન્ટરચેન્જ ફીમાં વધારો કરવાની માંગ છે. તેમના જાળવણી અને સંચાલન ખર્ચમાં અગાઉની સરખામણીએ વધારો થયો હતો. આવી સ્થિતિમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સમક્ષ આ માંગણી મૂકી હતી, જેને આરબીઆઈએ લીલી ઝંડી આપી દીધી છે.
એટીએમ ચાર્જમાં વધારો હવે એ બેંકો પર વધુ અસર કરશે જે એટીએમ નેટવર્ક માટે અન્ય લોકો પર વધુ નિર્ભર છે. ગ્રાહકોએ હવે નોન-હોમ બેંક એટીએમમાંથી પૈસા ઉપાડવા અથવા બેલેન્સ ચેક કરવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે. આવી સ્થિતિમાં, આ વધારાના ચાર્જ પછી, જે લોકો એટીએમનો વધુ ઉપયોગ કરે છે, તેઓએ વધારાના ચાર્જથી બચવા માટે કાં તો તેમના હોમ બેંકના એટીએમનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો ડિજિટલ પેમેન્ટ વિકલ્પનો ઉપયોગ કરવો જોઈએ.
SBI એ પહેલાથી જ તેના ગ્રાહકો માટે ATM ટ્રાન્ઝેક્શન અને ચાર્જીસમાં ફેરફાર કર્યા છે અને તે 1 ફેબ્રુઆરી, 2025 થી લાગુ છે. પરંતુ RBIની સૂચના મુજબ, 1 મે, 2025 થી, રોકડ ઉપાડવા માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે.
1 મેથી એટીએમના આ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. હવે શક્ય હોય ત્યા સુધી હોમ બેંક એટીએમનો જ ઉપયોગ કરવો જોઈએ.