Vegetable Price Hike: વાવાજોડાની અસર હવે ગૃહિણીઓના બજેટ પર પણ જોવા મળી રહી છે. શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બગેટ બગડ્યું છે. વાવાઝોડાના અસરના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમા વધારો થયો છે. અમદાવાદમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તેમાં પણ આદુ અત્યારે માર્કેટમાં 300 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે. આદુ મોટાભાગે બેંગ્લોરથી આવતું હોય છે. જેના ભાવમાં અચાનક જ ઉછાળો આવ્યો છે. તો બીજી તરફ ટામેટામાં પણ બમણો વધારો થઈ ગયો છે. 40 રૂપિયાના મળતા ટામેટા 80 રૂપિયે કિલો મળી રહ્યા છે.


શાકભાજીનો ભાવ (પ્રતિ કિલો રૂપિયામાં)


કોબીજ પેહલા 30 અત્યારે 50


ફ્લાવર પેહલા 80 અત્યારે100


ભીંડા પેહલા 80 અત્યારે100


આદુ પેહલા 200 અત્યારે 300


ગવાર પેહલા 80 અત્યારે120


રીંગણ પેહલા 50 અત્યારે 80


ટામેટાં પેહલા 40 અત્યારે 80


ટીંડોડા પેહલા 90 અત્યારે 110


કારેલા પેહલા 50 અત્યારે 80


પરવર પેહલા 70 અત્યારે100


નોંધનીય છે કે, કચ્છ ઉપર ત્રાટકેલા ચક્રવાતથી બે હજાર કરોડના નુકસાનનો અંદાજ છે. વાવાઝોડાના કારણે સૌથી મોટું નુકસાન બાગાયતી ખેતીને ૬૦૦ કરોડથી વધારે ફટકો પાડયો છે. ૮૦ હજાર થાંભલા, ૪૦ ટાવર , ૧૪ હજાર ટ્રાન્સફોર્મર બળી જવાથી ૨૧૦ કરોડનું ધોવાણ થયું છે. મીઠાના અગરો ડૂબી જવાથી હજારો ટન મીઠું તણાઈ જતાં ૬૦૦ કરોડોનો જથ્થો પાણીમાં ગરક થયો છે. પ્રાથમિક તબક્કે સરકાર દ્વારા ૪૩ હજાર અસરગ્રસ્ત ને ૧.૯૧ કરોડની કેશડોલ્સ આપવામાં આવ્યું છે.


જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ૭૪૮ ટીમો દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં ૪૩,૨૩૪ લાભાર્થીઓને કેશડોલ્સની રકમનું ચુકવણું કરી દેવામાં આવ્યું છે. કાચા પાકા મકાન સહાય માટે ૩૭૦૧થી વધુ મકોનોનો સર્વે કરવામાં આવ્યો છે.  


વાવાઝોડાના કારણે કચ્છમાં નુક્સાની થતા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 748 ટીમોએ નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરી છે. તો આ તરફ ૪૩ હજાર ૨૩૪ લાભાર્થીઓને કેશડોલ્સની રકમની ચૂકવણી કરવામાં આવી છે. કાચા અને પાકા મકાન સહાય માટે ૩૭૦૧થી વધુ મકોનોનો સર્વે કરવામાં આવ્યો હતો. તો જિલ્લામાં ૨૯ ટીમોએ આંશિક નુકસાન પામેલા ૧૨૦ બોટોનો સર્વે કર્યો છે. કાચા પાકા મકાનોમાં ૧૫ ટકાથી વધુ નુકશાન હશે તો તેને સહાય આપવામાં આવશે.





Join Us on Telegram: https://t.me/abpasmitaofficial