આજકાલ મોટાભાગના લોકો વીમા પોલિસીમાં રોકાણ કરે છે. વીમો તમને સુરક્ષા કવચ આપે છે જે કોઈપણ અપ્રિય ઘટનાના કિસ્સામાં નાણાકીય સહાય પૂરી પાડે છે. જો કે, તમને સામાન્ય રીતે કોઈપણ વીમા પૉલિસીનો લાભ ત્યારે જ મળે છે જ્યારે તમે તેનું પ્રીમિયમ ચૂકવો છો. પરંતુ શું તમે જાણો છો કે ઈન્શ્યોરન્સ મફતમાં પણ મળી શકે છે. વાસ્તવમાં તમારું ડેબિટ કાર્ડ તમને મફત વીમા કવર પણ પ્રદાન કરે છે.


કેટલાક ડેબિટ કાર્ડ 3 કરોડ રૂપિયા સુધીનું મફત અકસ્માત વીમા કવરેજ આપે છે. આ વીમા કવરેજ વિના મૂલ્યે આપવામાં આવે છે અને ડેબિટ કાર્ડ ધારક પાસેથી ન તો કોઈ પ્રીમિયમ લેવામાં આવે છે અને ન તો બેન્કો દ્વારા કોઈ વધારાના દસ્તાવેજની માંગ કરવામાં આવે છે.


ચોક્કસ સમયગાળામાં ડેબિટ કાર્ડ દ્વારા કરવા પડશે ટ્રાજેક્શન


ડેબિટ કાર્ડ્સ પર મફત અકસ્માત વીમા કવરેજ માટે અમુક નિયમો અને શરતો છે. આમાંની સૌથી મહત્વની બાબત એ છે કે કાર્ડધારકે ચોક્કસ સમયગાળામાં તે ડેબિટ કાર્ડ દ્વારા ચોક્કસ ટ્રાન્જેક્શન કરવા પડશે.


એલિજિબલ ટ્રાન્જેક્શન કરવા માટેના માપદંડો દરેક બેન્કમાં અલગ અલગ છે


મફત આકસ્મિક વીમા કવરેજ માટે ક્વોલિફાય કરવા માટે એલિજિબલ ટ્રાન્જેક્શન કરવા માટેના માપદંડો સમગ્ર બેન્કોમાં અલગ અલગ હોય છે. દાખલા તરીકે એચડીએફસી બેન્ક મિલેનિયા ડેબિટ કાર્ડ ઘરેલુ મુસાફરી માટે  5 લાખ રૂપિયા અને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી માટે 1 કરોડ રૂપિયાનું ફ્રી વીમા કવરેજ આપે છે. આ કાર્ડ પર વીમા પોલિસીને એક્ટિવેટ કરવા માટે કાર્ડ ધારકે 30 દિવસમાં ઓછામાં ઓછું એક ટ્રાન્જેક્શન કરવું પડશે. કોટક મહિન્દ્રા બેન્કે ક્લાસિક ડેબિટ કાર્ડ ધારકોને મફત વીમા કવરેજ માટે પાત્ર બનવા માટે છેલ્લા 30 દિવસમાં ઓછામાં ઓછા 500 રૂપિયાના બે ટ્રાન્જેક્શન કરવા જરૂરી હોય છે.  તેવી જ રીતે, ડીબીએસ બેંક ઈન્ડિયા ઈન્ફિનિટી ડેબિટ કાર્ડધારકોએ વીમા કવરેજને એક્ટિવેટ કરવા માટે છેલ્લા 90 દિવસમાં એક ટ્રાજેક્શન કરવું પડે છે.


નોંધનીય છે કે UPI ટ્રાજેક્શનો સામાન્ય રીતે વીમા કવરેજ માટે પાત્ર નથી. જો કે, પોઈન્ટ ઓફ સેલ (POS) ટ્રાજેક્શન અથવા ઈ-કોમર્સ ઓનલાઈન ટ્રાન્જેક્શન વીમા કવરેજ માટે પાત્ર છે.