શોધખોળ કરો

પીએમ મોદીની અપીલ બાદ હવે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ મુદ્દે આપ્યું નિવેદન - દેશમાં 60 દિવસ સુધી....

India fuel reserves 2026: સરકારે સ્પષ્ટ કર્યું કે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે; વિદેશી હૂંડિયામણ પણ $703 બિલિયન સાથે મજબૂત સ્થિતિમાં.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતમાં પેટ્રોલ, ડીઝલ, LPG કે ક્રૂડ ઓઈલની અછત નથી.
  • દેશ પાસે 60 દિવસનો ક્રૂડ ઓઈલ અને 45 દિવસનો LPG સ્ટોક.
  • વૈશ્વિક તણાવ વચ્ચે પણ ભારત આર્થિક રીતે સુરક્ષિત.
  • ભાવ સ્થિર રાખવા તેલ કંપનીઓએ ₹1000 કરોડ રોજના નુકસાન વેઠ્યું.

India fuel reserves 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કર્યા બાદ લોકોમાં ઉભા થયેલા સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. સરકારે સોમવારે નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે, દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG કે ક્રૂડ ઓઈલની કોઈ જ અછત નથી. ભારત પાસે હાલ 60 દિવસનો ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસનો તેમજ 45 દિવસનો LPGનો અકબંધ સ્ટોક છે. પશ્ચિમ એશિયાના યુદ્ધ અને વૈશ્વિક તણાવ છતાં ભારત આર્થિક રીતે સુરક્ષિત છે અને દેશનું વિદેશી હૂંડિયામણ પણ $703 બિલિયનના મજબૂત સ્તરે પહોંચ્યું છે.

પીએમ મોદીની અપીલ અને સરકારની ખાતરી

ઉલ્લેખનીય છે કે, 10 મે, 2026ના રોજ પીએમ મોદીએ નાગરિકોને ઈંધણ બચાવવા માટે વિનંતી કરી હતી. તેમણે સમજાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ વધવાથી દેશના વિદેશી હૂંડિયામણ પર મોટો બોજ પડે છે. જોકે, તેના બીજા જ દિવસે એટલે કે 11 મેના રોજ, સરકારે જનતાને આશ્વાસન આપતા કહ્યું કે ભલે આપણે ઈંધણનો કરકસરભર્યો ઉપયોગ કરીએ, પણ દેશમાં તેલ કે ગેસની કમી નથી. પશ્ચિમ એશિયાના સંઘર્ષની અસર ઘટાડવા માટે સરકારે પૂરતા પગલાં લીધા છે.

દુનિયામાં સંકટ, પણ ભારત સુરક્ષિત

જ્યારે દુનિયાના ઘણા દેશો અત્યારે ઈંધણની તંગીને કારણે કટોકટી જેવા પગલાં લઈ રહ્યા છે, ત્યારે ભારતની સ્થિતિ ઘણી સારી છે. ભારત દુનિયામાં તેલ શુદ્ધિકરણમાં (Refining) ત્રીજા સ્તરે અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં ચોથા સ્તરે છે. આપણે 150થી વધુ દેશોને પેટ્રોલિયમ પેદાશો પૂરી પાડીએ છીએ. જોકે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ સતત ઊંચા રહેતા હોવાથી ભારતને મોટી કિંમત ચૂકવવી પડે છે, જેના કારણે પીએમ મોદીએ જનતાને આર્થિક સહયોગ આપવા અને બિનજરૂરી ખર્ચ ઘટાડવા અપીલ કરી છે.

શું દેશમાં પેટ્રોલ-ડીઝલ મોંઘુ થશે? પીએમ મોદીની અપીલે આપ્યા સંકેત, કહ્યું - કિંમત આસમાને....

ભાવ સ્થિર રાખવા તેલ કંપનીઓએ વેઠી ખોટ

સરકારે વધુમાં જણાવ્યું કે, વૈશ્વિક ઉથલપાથલ છતાં ભારતમાં છેલ્લા 70 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. આ સ્થિરતા જાળવી રાખવા માટે સરકારી તેલ કંપનીઓએ દરરોજ આશરે ₹1,000 કરોડનું નુકસાન સહન કર્યું છે. 2026ના પહેલા ક્વાર્ટરમાં કંપનીઓને આશરે ₹2 લાખ કરોડનું નુકસાન થયું છે, પરંતુ તેનો બોજ સામાન્ય જનતા પર આવવા દીધો નથી.

નાગરિકોએ ગભરાવાની જરૂર નથી

છેલ્લે સરકારે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ અફવા પર ધ્યાન ન આપવું. પેટ્રોલ પંપ કે રિટેલ આઉટલેટ્સ પર લાઈનો લગાવવાની કે દોડાદોડ કરવાની કોઈ જરૂર નથી. દેશમાં તેલ અને ગેસનો પૂરતો સ્ટોક હોવાથી ચિંતા જેવું કોઈ કારણ નથી. માત્ર રાષ્ટ્રના હિતમાં અને નાણાકીય બોજ ઘટાડવા માટે ઈંધણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે.

શું દેશમાં પેટ્રોલ-ડીઝલ, ગેસની અછત છે? પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ

Frequently Asked Questions

શું ભારતમાં પેટ્રોલ, ડીઝલ, LPG કે ક્રૂડ ઓઈલની અછત છે?

ના, ભારતમાં પેટ્રોલ, ડીઝલ, LPG કે ક્રૂડ ઓઈલની કોઈ અછત નથી. સરકાર પાસે 60 દિવસનો ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસનો તેમજ 45 દિવસનો LPGનો સ્ટોક છે.

ભારત પાસે કેટલા દિવસનો ઇંધણનો સ્ટોક ઉપલબ્ધ છે?

ભારત પાસે હાલ 60 દિવસનો ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસનો તેમજ 45 દિવસનો LPGનો અકબંધ સ્ટોક છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ છેલ્લા 70 દિવસથી સ્થિર કેમ રહ્યા છે?

વૈશ્વિક ઉથલપાથલ છતાં ભારતમાં છેલ્લા 70 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખવા માટે સરકારી તેલ કંપનીઓએ દરરોજ આશરે ₹1,000 કરોડનું નુકસાન સહન કર્યું છે.

શું નાગરિકોએ ઇંધણ માટે ગભરાઈને પેટ્રોલ પંપ પર લાઈન લગાવવી જોઈએ?

ના, નાગરિકોએ કોઈપણ અફવા પર ધ્યાન ન આપવું. દેશમાં તેલ અને ગેસનો પૂરતો સ્ટોક હોવાથી ચિંતા જેવું કોઈ કારણ નથી અને પેટ્રોલ પંપ પર લાઈન લગાવવાની જરૂર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ayushman Bharat Card Apply: તમે કઈ રીતે બનાવી શકો આયુષ્માન કાર્ડ? અહીં જાણો ઓનલાઈન-ઓફલાઈન પ્રોસેસ
Ayushman Bharat Card Apply: તમે કઈ રીતે બનાવી શકો આયુષ્માન કાર્ડ? અહીં જાણો ઓનલાઈન-ઓફલાઈન પ્રોસેસ
8th pay commission: સરકારે જો આ શરત માની લીધી તો કેંદ્રીય કર્મચારીને મળશે લાખો રુપિયા ગ્રેચ્યુઇટી !
8th pay commission: સરકારે જો આ શરત માની લીધી તો કેંદ્રીય કર્મચારીને મળશે લાખો રુપિયા ગ્રેચ્યુઇટી !
Gold-Silver Price Today: સોનાની કિંમતે લગાવી છલાંગ પરંતુ ચાંદીની ચમક ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Price Today: સોનાની કિંમતે લગાવી છલાંગ પરંતુ ચાંદીની ચમક ઘટી, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Share Market Opening: શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 271 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24000ને પાર
Share Market Opening: શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 271 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24000ને પાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટવાયા પાઠ્યપુસ્તક?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો અવાજ કેમ દબાયો?
Hun To Bolish : હું તો બોલીશ : અસંવેદનશીલ વિભાગ!
Surat news: અસલીના નામે નકલી ઘીનો કારોબાર, કામરેજમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
Gujarat Monsoon 2026 : રાજ્યમાં ચોમાસાને લઇને હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ચોમાસું ક્યારે બેસશે?
ગુજરાતમાં આજે 12 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ચોમાસું ક્યારે બેસશે?
Weather update: 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 
Weather update: 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 
જામનગર, સુરત બાદ વડોદરા મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
જામનગર, સુરત બાદ વડોદરા મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
NEET-UG પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસનું સુરક્ષા કવચ, IGP મકરંદ ચૌહાણ રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત
NEET-UG પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસનું સુરક્ષા કવચ, IGP મકરંદ ચૌહાણ રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત
Monsoon Updates: રાજ્યમાં આ તારીખે ચોમાસાનું થશે આગમન, આ જિલ્લામાં વરસાદની આગાહી
Monsoon Updates: રાજ્યમાં આ તારીખે ચોમાસાનું થશે આગમન, આ જિલ્લામાં વરસાદની આગાહી
PM Kisan Yojana: PM કિસાન યોજનાનો 23મો હપ્તો તમને મળશે કે નહીં? આ રીતે કરો ચેક 
PM Kisan Yojana: PM કિસાન યોજનાનો 23મો હપ્તો તમને મળશે કે નહીં? આ રીતે કરો ચેક 
FIFA World Cup 2026: મેસ્સી મેજિક સામે હાર્યું અલ્જીરિયા , આર્જેન્ટિનાએ જીત સાથે કરી શરૂઆત
FIFA World Cup 2026: મેસ્સી મેજિક સામે હાર્યું અલ્જીરિયા , આર્જેન્ટિનાએ જીત સાથે કરી શરૂઆત
શું બાળકોની અડધી સીટ બુક કરવા પર રેલવેમાં સીટ મળે ? જાણો આ નિયમ
શું બાળકોની અડધી સીટ બુક કરવા પર રેલવેમાં સીટ મળે ? જાણો આ નિયમ
Embed widget