Senior Citizens Concessions in Indian Railways: ભારતીય રેલ્વેએ કોવિડ સમયગાળા દરમિયાન ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો માટે ઉપલબ્ધ ભાડામાં મળતી છૂટને અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી અને ત્યારથી, વરિષ્ઠ નાગરિકોને રેલ ભાડામાં કોઈ છૂટ મળી રહી નથી. પરંતુ હવે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રેલ્વે 1 જુલાઈથી વરિષ્ઠ નાગરિક કન્સેશનને ફરીથી લાગુ કરવા જઈ રહી છે. જાણો શું છે આ મેસેજનું સત્ય.

Continues below advertisement

સોશિયલ મીડિયામાં કેટલાક વાયરલ મેસેજ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 જુલાઈથી વરિષ્ઠ નાગરિકોને ટ્રેન ભાડામાં રાહત ફરી શરૂ થશે. તમને જણાવી દઈએ કે રેલ્વે મંત્રાલયે આવો કોઈ આદેશ કે જાહેરાત કરી નથી અને હાલમાં વરિષ્ઠ નાગરિકોને ટ્રેનમાં ભાડામાં છૂટ નહીં મળે.

શું છે PIB ફેક્ટ ચેકનું ટ્વિટ

પીઆઈબી ફેક્ટ ચેકે થોડા સમય પહેલા એક ટ્વીટમાં સ્પષ્ટ કર્યું હતું કે રેલ્વે મંત્રાલયે 1 જુલાઈથી ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકની છૂટ લાગુ કરવા માટે કોઈ આદેશ જારી કર્યો નથી કે તેની જાહેરાત કરી નથી. મીડિયા રિપોર્ટમાં આવી મુક્તિ લાગુ કરવાની વાત ભ્રામક અને નકલી છે. હાલમાં ભારતીય રેલ્વે માત્ર દિવ્યાંગજનો, દર્દીઓ અને વિદ્યાર્થીઓને ભાડામાં રાહત આપી રહી છે.

શું કહે છે રેલ્વે મંત્રાલય

થોડા દિવસો પહેલા, જ્યારે રેલ્વેને સિનિયર સિટીઝન કન્સેશન ફરીથી ક્યારે લાગુ કરવામાં આવશે તેનો જવાબ માંગવામાં આવ્યો હતો, ત્યારે અધિકારીઓએ કહ્યું હતું કે તેઓ અત્યારે આ વિશે જાણતા નથી. તેથી, એવું માની શકાય છે કે હાલમાં સરકાર કે રેલ્વે મંત્રાલયનો વરિષ્ઠ નાગરિકો માટે કન્સેશન લાગુ કરવાનો કોઈ ઈરાદો નથી.