PIB Fact Check: કેન્દ્ર સરકાર લોકોના હિતોને ધ્યાનમાં રાખીને ઘણી કલ્યાણકારી યોજનાઓ લાગુ કરે છે. આ યોજનાઓમાં મહિલાઓ, બાળકો અને પછાત વર્ગના લોકોને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. તે જ સમયે, ઘણી યોજનાઓમાં, યુવાનો અને ઉદ્યમીઓ માટે સબસિડી અને ભથ્થાની યોજના છે. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારની 'પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના' હેઠળ નોંધણી કરાવવા માટે યુવાનોને દર મહિને 3,400 રૂપિયા આપવામાં આવશે. આવો જાણીએ શું છે આ વાયરલ મેસેજનું સત્ય.


શું છે વાયરલ મેસેજ


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર યુવાનોને દર મહિને 3,400 રૂપિયાની સહાય આપી રહી છે. આ માટે તેમના માટે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનામાં નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. મેસેજ કરનારે એવો પણ દાવો કર્યો છે કે તેને આ સ્કીમ હેઠળ 3,400 રૂપિયા મળ્યા છે.


આ મેસેજ કેટલો સાચો છે


સરકારી એજન્સી PIBએ આ વાયરલ મેસેજની હકીકત તપાસી. PIB ફેક્ટચેકમાં આ મેસેજને સંપૂર્ણપણે નકલી ગણાવ્યો છે. PIB FactCheck દાવો કરે છે કે આ મેસેજ સંપૂર્ણપણે નકલી છે. પીઆઈબીએ કહ્યું કે આવા કોઈ મેસેજની આડમાં તમારી કોઈપણ માહિતી શેર કરશો નહીં.






લોભામણા મેસેજ પર ક્લિક ન કરો


પીઆઈબીએ જણાવ્યું કે લોકોને છેતરવા માટે તેઓ સરકારી સ્કીમ જેવા જ નામો સાથે આવી નકલી સ્કીમ ચલાવે છે, જેમાં લોકો ઘણીવાર ફસાઈ જાય છે. આ લોકો સરકારી નોકરીના નામે નકલી લિંક શેર કરે છે, જેના પર ક્લિક કરવાથી તમારું બેંક એકાઉન્ટ હેક થઈ જાય છે.


PIB ફેક્ટ ચેક શું છે?


નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.