PM Surya Ghar Yojana Helpline Number: લોકો તેમના ઘરોમાં વધતા વીજળીના બીલથી ખૂબ જ પરેશાન છે. અને ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ્યારે ગરમીથી બચવા ઘરોમાં એસી અને કુલરનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય મહિનાઓની સરખામણીમાં ઉનાળાની ઋતુમાં વીજળીનું બિલ 5-6 ગણું વધી જાય છે. વીજળીના વધતા બિલથી બચવા લોકો અનેક યુક્તિઓ અજમાવતા હોય છે.

Continues below advertisement

હવે ઘણા લોકો પોતાના ઘરમાં સોલાર પેનલ લગાવી રહ્યા છે. જેના કારણે તેઓ વીજળીના બિલના બોજમાંથી બચી ગયા છે. સરકાર પણ સોલાર પેનલ લગાવવા માટે મદદ કરે છે. આ માટે પીએમ સૂર્ય ઘર યોજના ચલાવવામાં આવે છે. જો તમે આ યોજનાનો લાભ લેવા વિશે અવઢવમાં છો તો પછી તમે સ્કીમ સાથે જોડાયેલા હેલ્પલાઈન નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.

તમે આ નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકો છોપ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના હેઠળ, ભારત સરકાર લોકોને સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપે છે. અલગ-અલગ વોટની સોલાર પેનલ લગાવવા માટે સરકાર વિવિધ પ્રકારની સબસિડી આપે છે. સ્કીમ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તે પછી, આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી અને સોલર પેનલ ઇન્સ્ટોલ થઈ ગયા પછી અને વેરિફિકેશન થઈ ગયા પછી, સબસિડીના પૈસા તમારા ખાતામાં મોકલવામાં આવે છે.

Continues below advertisement

તમે યોજના સંબંધિત કંઈપણ માહિતી મેળવવા માગતા હોય તો તમે તમારા ઘરમાં સોલાર પેનલ કેવી રીતે ઇન્સ્ટોલ કરવી તે સમજવા માગો છો તો તમે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રેનવાલ એનર્જીના હેલ્પલાઇન નંબર 1800-180-3333 પર ફોન કરીને માહિતી મેળવી શકો છો.

જાણો સરકાર કેટલી સબસિડી આપે છેપીએમ સૂર્યઘર યોજના માટે અરજી કરવા માટે, તમારે યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.org.in પર જઈને અરજી કરવાની રહેશે. યોજના હેઠળ, સોલર પેનલ લગાવવા પર, તમને દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. આ સાથે સોલાર પેનલ લગાવવા માટે સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવશે. એક કિલોવોટ સોલર પેનલ લગાવવા પર તમને 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. 2 કિલોવોટ સિસ્ટમ લગાવવા પર 60,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. જો તમે 3 કિલોવોટની રૂપટોપ સોલર પેનલ ઇન્સ્ટોલ કરો છો, તો તમને 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

આ પણ વાંચો...

Mahadev Betting App Scam: મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે