PM Surya Ghar Yojana: વીજળીના વધતા જતા બિલ હવે ઘણા પરિવારોના બજેટ પર સીધી અસર કરી રહ્યા છે. જો દર મહિને સારી એવી બચત થાય તો ઘરનો ખર્ચ કાબૂમાં રાખવો સરળ બની જાય છે. આ જ વિચાર સાથે સરકારે પીએમ સૂર્ય ઘર યોજના શરૂ કરી છે. આ અંતર્ગત છત પર સોલર પેનલ લગાવવા પર સીધી સબસિડી આપવામાં આવી રહી છે.

આ યોજના હેઠળ સરકારનો લક્ષ્‍યાંક એક કરોડ ઘરોને રૂફટોપ સોલર સાથે જોડવાનો છે. સરકાર ઈચ્છે છે કે પરિવારો પોતાની જરૂરિયાતની વીજળી જાતે જ પેદા કરે અને ગ્રીડ સાથે કનેક્ટેડ રહીને વધારાના યુનિટનો લાભ પણ લે. યોજનામાં સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે.

પહેલા 2 કિલોવોટ સુધી 30,000 રૂપિયા પ્રતિ કિલોવોટના દરે સહાય મળે છે. જો તમે 3 કિલોવોટ સુધીની સિસ્ટમ લગાવો છો, તો ત્રીજા કિલોવોટ પર 18,000 રૂપિયા મળે છે. કુલ મળીને મહત્તમ 78,000 રૂપિયા સુધીની સબસિડી સીધી ખાતામાં ટ્રાન્સફર થાય છે.

Continues below advertisement

Continues below advertisement

જો કોઈ પરિવાર 3 કિલોવોટની સોલર સિસ્ટમ પસંદ કરે છે, તો પહેલા 2 કિલોવોટ પર 60,000 રૂપિયા અને વધારાના 1 કિલોવોટ પર 18,000 રૂપિયા મળશે. આ રીતે કુલ 78,000 રૂપિયાની મદદ મળે છે. આનાથી શરૂઆતનો ખર્ચ ઘણી હદ સુધી ઓછો થઈ જાય છે.

અરજી માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. સિસ્ટમ માત્ર રહેણાંક મકાન પર જ લાગવી જોઈએ. ગ્રીડ કનેક્ટેડ અથવા હાઇબ્રિડ મોડલ જ પાત્ર છે. પેનલ્સ ભારતમાં બનેલા DCR મોડ્યુલ હોવા જોઈએ અને ઇન્સ્ટોલેશન રજિસ્ટર્ડ વેન્ડર પાસેથી જ કરાવવું જરૂરી છે. એક ઘરને સબસિડી માત્ર એક જ વાર મળશે.

દસ્તાવેજો પણ પહેલાથી તૈયાર રાખો. આધાર સાથે લિંક થયેલ બેંક એકાઉન્ટ, તાજેતરનું વીજળી બિલ, મકાનની માલિકીનો પુરાવો અને કેન્સલ ચેક જરૂરી છે. સાચી માહિતી આપવાથી પ્રક્રિયા ઝડપી બને છે અને ડિસ્કોમ (DISCOM) પાસેથી મંજૂરી લેવામાં સરળતા રહે છે.

અપ્લાય કરવા માટે સત્તાવાર પોર્ટલ પર જઈને કન્ઝ્યુમર લોગિન બનાવવું પડશે. પ્રોફાઇલ ભર્યા પછી રૂફટોપ સોલર માટે અરજી કરો અને ડિસ્કોમ એપ્રુવલની રાહ જુઓ. ત્યારબાદ રજિસ્ટર્ડ વેન્ડર પસંદ કરીને ઇન્સ્ટોલેશન અને નેટ મીટરિંગ પૂર્ણ કરો. અંતે સબસિડી DBT દ્વારા સીધી બેંક ખાતામાં આવી જાય છે.