Post Officve Small Saving Scheme: નાની બચત યોજના હેઠળ, પોસ્ટ વિભાગે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના, NSC, વરિષ્ઠ નાગરિક બચત યોજના અને અન્ય નાની બચત યોજનાઓ અંગે નવી જાહેરાત કરી છે. માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. પોસ્ટ ઓફિસે આ ગાઈડલાઈન હેઠળ ગ્રાહકોના ફાયદા વિશે વાત કરી છે.


પોસ્ટલ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઘણી પોસ્ટ ઓફિસો સમયસર મૃત્યુના દાવાઓનો નિકાલ કરી રહી નથી. ઉપરાંત, તેઓ મૃત્યુના દાવા માટે જરૂરી નિયમોનું પાલન કરતા નથી. આવી સ્થિતિમાં, પોસ્ટલ વિભાગે મૃત્યુના દાવાનો તાત્કાલિક નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો છે અને કહ્યું છે કે આવા કોઈપણ કેસનો સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવે.


મૃત્યુના દાવા માટે આ સૂચનાઓનું પાલન કરવું આવશ્યક છે


વિભાગે કહ્યું કે પોસ્ટ ઓફિસે નિર્ધારિત સમય મર્યાદામાં મૃતકના દાવાના કેસોનું સમાધાન સુનિશ્ચિત કરવું પડશે. 9 જાન્યુઆરી, 2023ના રોજ પોસ્ટ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુના દાવાના કેસોના સમયસર નિરાકરણ માટે અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે.


મૃત્યુના દાવા દરમિયાન KYC દસ્તાવેજો હોવા જોઈએ અને પોસ્ટ ઓફિસમાં તેની ચકાસણી કરાવવી જરૂરી છે.


કેવાયસી દસ્તાવેજોની નકલ પર સાક્ષીઓની સહીઓ પણ જરૂરી છે. જો સહી ન હોય તો સાક્ષીએ પોસ્ટ ઓફિસમાં જવું પડશે.


દાવેદારની સહી, બેંક એકાઉન્ટ અને અન્ય દસ્તાવેજો આપવા પણ જરૂરી છે.


મૃત્યુના દાવાની પતાવટ કરવા માટે માંગવામાં આવેલા તમામ દસ્તાવેજો આપવા ફરજિયાત છે, અન્યથા પૈસા અટકી શકે છે.


નોમિનીના કિસ્સામાં મૃત્યુનો દાવો માત્ર એક દિવસમાં અને અન્ય કિસ્સામાં સાત દિવસની અંદર કરી શકાય છે.


કાનૂની દસ્તાવેજો આપવાના રહેશે


જો કોઈપણ યોજના હેઠળ જારી કરાયેલી રકમ પાંચ લાખ રૂપિયાથી વધુ હોય અને તે ખાતામાં કોઈ નોમિનેશન ન હોય તો કોર્ટ દ્વારા જારી કરાયેલા કાયદાકીય દસ્તાવેજો આપવા જરૂરી છે. જો કે, જો રકમ પાંચ લાખ રૂપિયા છે, તો મૃત્યુ દાવા માટે કોઈ કાનૂની દસ્તાવેજ પ્રદાન કરવાની જરૂર નથી.


આ પણ વાંચોઃ


Bank Strike 2023: બજેટ પહેલા જ બેંક કર્મચારીઓ બે દિવસ હડતાળ પર રહેશે, પગાર-પેંશન મેળવવામાં થઈ શકે છે વિલંબ!