POST OFFICE SCHEME: પોસ્ટ ઓફિસ સ્કીમ તમારા માટે બચત અને રોકાણના સંદર્ભમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.  પોસ્ટ ઓફિસ સ્કીમ તમને સારા વ્યાજ દરે ઉત્તમ વળતર આપે છે. પોસ્ટ ઓફિસ તમને સરકારી સુરક્ષાની પણ ખાતરી છે. આ સિવાય પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓમાં ટેક્સ લાભ પણ મળે છે. આ સ્થિતિમાં, પોસ્ટ ઓફિસ યોજનાઓ તમારા માટે શ્રેષ્ઠ રોકાણ અને બચત વિકલ્ બની શકે છે.


પોસ્ટ ઓફિસ યોજનાઓ વિશે જાણીએ


વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS): પોસ્ટ ઓફિસની આ યોજના ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી હતી. પોસ્ટ ઓફિસમાં વરિષ્ઠ  નાગરિક યોજના અન્ય તમામ યોજનાઓમાં સૌથી વધુ વ્યાજ દર આપે છે. આ  સ્કીમ 8.2 ટકાના દરે વ્યાજ આપે છે. 55-60 વર્ષ સુધી નિવૃત્ત થયેલા વરિષ્ઠ નાગરિકો તેઓ આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં તેમનું ખાતું ખોલાવી શકે છે. આ સ્કીમ હેઠળ ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. આ સિવાય તમે આ સ્કીમ હેઠળ વધુમાં વધુ 30 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. આ યોજના હેઠળ રોકાણ કરવાથી ઈન્ક્મ ટેક્સ ​​​​​કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિનો લાભ મળે છે. 


આજે 21 ઓગસ્ટના રોજ વર્લ્ડ સીનિયર સિટિઝન્સ ડે​​​​ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે અમે તમને પોસ્ટ ઓફિસ સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ. આ યોજના પર વાર્ષિક 8.2% વ્યાજ મળે છે. 


પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ હેઠળ માત્ર 1000 રૂપિયામાં ખાતું ખોલાવી શકાય છે. તમે આ સ્કીમમાં વધુમાં વધુ 30 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ યોજના પર વાર્ષિક 8.2% વ્યાજ મળે છે. તમે કોઈપણ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને આ ખાતું ખોલાવી શકો છો. 


પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમએ સરકાર દ્વારા સમર્થિત સ્કીમ છે જેમાં રોકાણ કરીને તમને દર મહિને એક નિશ્ચિત રકમ મળશે. આ સ્કીમ હેઠળ સરકાર જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં 7.4 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આ યોજનાની પાકતી મુદત 5 વર્ષની છે.


આવી સ્થિતિમાં એકવાર રોકાણ કર્યા પછી તમને સતત પાંચ વર્ષ સુધી દર મહિને એક નિશ્ચિત રકમ મળશે. આ સ્કીમ હેઠળ તમે એક ખાતામાં વધુમાં વધુ 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. તમે સંયુક્ત ખાતામાં 15 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.