share market today :  શુક્રવાર 23 જાન્યુઆરીના રોજ ભારતીય શેરબજારમાં મોટો કડાતો જોવા મળ્યો. ટ્રેડિંગ બંધ થતાં નિફ્ટી 25,100 ની નીચે સરકી ગયો. સેન્સેક્સ 769.67 પોઈન્ટ અથવા 0.94 ટકા ઘટીને 81,537.70 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 241.25 પોઈન્ટ અથવા 0.95 ટકા ઘટીને 25,048.65 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી મોટાભાગના લાલ નિશાનમાં બંધ થયા. નિફ્ટીમાં સૌથી વધુ ઘટાડો અદાણી પોર્ટ્સ, ઈટરનલ, ઇન્ટરગ્લોબ એવિએશન, એક્સિસ બેંક અને પાવર ગ્રીડમાં થયો.

નિફ્ટીમાં મુખ્ય ઘટાડો 

આજે શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું. નિફ્ટીમાં મુખ્ય ઘટાડો અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, ઈટરનલ, ઇન્ટરગ્લોબ એવિએશન અને સિપ્લામાં થયો. દરમિયાન, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, ટેક મહિન્દ્રા, ONGC, હિન્ડાલ્કો અને HUL વધારા સાથે બંધ થયા. ક્ષેત્રીય મોરચે બધા સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા. કેપિટલ ગુડ્સ, પાવર, રિયલ્ટી, PSU બેંકો અને મીડિયા સેક્ટરમાં 2 થી 3 ટકાનો ઘટાડો થયો. BSE મિડકેપ ઇન્ડેક્સ 1.5 ટકા ઘટ્યો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 2 ટકા ઘટ્યો.

Continues below advertisement

Continues below advertisement

આજે બજારમાં ઘટાડો શા માટે થયો ?

સતત ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ

જ્યારે ગ્રીનલેન્ડ પર અમેરિકા અને યુરોપ વચ્ચે તણાવ ઓછો થવાના સંકેતો છે, ત્યારે અમેરિકા અને નાટો વચ્ચેના કથિત "સોદા" અંગેની પરિસ્થિતિ અસ્પષ્ટ છે. આ અનિશ્ચિતતાએ બજારના સહભાગીઓને સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. યુએસ રાષ્ટ્રપતિએ ગુરુવારે દાવો કર્યો હતો કે નાટો સાથેના કરાર હેઠળ અમેરિકાએ ગ્રીનલેન્ડમાં કાયમી અને સંપૂર્ણ પ્રવેશ મેળવ્યો છે. જો કે, આ દાવાની સત્તાવાર પુષ્ટિના અભાવે રોકાણકારોની ચિંતા વધારી છે.

ભારતીય ચલણનું નબળું પડવું 

શુક્રવારે ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 91.99 ના રેકોર્ડ નીચા સ્તરે ગબડી ગયો, જેનાથી બજારમાં ભારે ઘટાડો થયો. સ્થાનિક શેરબજારમાં તાજેતરમાં નિરાશા પાછળ રૂપિયાની નબળાઈને મુખ્ય કારણ માનવામાં આવે છે. ગયા વર્ષે લગભગ 5 ટકા ઘટ્યા બાદ, આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયામાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે, જેનાથી રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે.

FII દ્વારા ભારે વેચાણ 

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સતત વેચાણને કારણે ભારતીય શેરબજાર દબાણ હેઠળ છે. FII દ્વારા આ આક્રમક વેચાણથી બજારની તેજી પર બ્રેક લાગી છે. જાન્યુઆરીમાં અત્યાર સુધીમાં, FII એ રોકડ સેગમેન્ટમાં ₹36,500 કરોડથી વધુ મૂલ્યના ભારતીય શેર વેચ્યા છે, જેનાથી રોકાણકારોની ભાવના નબળી પડી છે અને બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે.