Shipping Firm Mega Bonuses: તાઇવાનની એવરગ્રીન મરીન કોર્પોરેશન કંપનીએ તેના પસંદગીના કર્મચારીઓને બમ્પર બોનસની જાહેરાત કરી છે. આ કંપની શિપિંગ સેક્ટરમાં કામ કરે છે. આ કંપનીના કેટલાક કર્મચારીઓને લગભગ 4 વર્ષનું મેગા બોનસ એટલે કે 48 મહિનાનો પગાર આપવામાં આવશે. તેની પાછળનું કારણ મેરીટાઇમ કંપનીની આવકમાં જંગી વધારો છે.


4 વર્ષનો પગાર બોનસ મળશે


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષ 2023 તાઈવાનની એવરગ્રીન મરીન કોર્પના કર્મચારીઓ માટે શુભ સાબિત થશે. જ્યારે કંપની તેમના ખાતામાં ચાર વર્ષનો પગાર એકસાથે જમા કરશે. એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે આ બાબતની પુષ્ટી કરી છે. વ્યક્તિનું કહેવું છે કે એવરગ્રીન મરીન કોર્પ તેના કર્મચારીઓને બોનસ તરીકે ચાર વર્ષનો પગાર આપવા જઈ રહી છે. સ્ટેલર બોનસ માત્ર તાઈવાનમાં રહેતા કર્મચારીઓને જ મળશે. એવરગ્રીન મરીન કોર્પોરેશન કંપની તાઈપેઈમાં સ્થિત છે.


કંપની શું કહે છે?


એવરગ્રીન મરીન કંપનીનું કહેવું છે કે, વર્ષના અંતે બોનસ હંમેશા કંપનીની કામગીરી અને કર્મચારીઓની કામગીરીના આધારે આપવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં આ કંપનીએ શિપિંગ સેક્ટરમાં આવેલી તેજીને કારણે ઘણો નફો કર્યો છે. કંપનીનો 2022નો રેવન્યુ રેકોર્ડ 634.6 બિલિયન ડોલર સુધીનો છે, જે 2020ના વેચાણ કરતાં 3 ગણો વધારે છે.


છેલ્લા કેટલાક વર્ષોમાં શેરબજારમાં આ કંપનીનું પ્રદર્શન મિશ્ર સાબિત થયું છે. વર્ષ 2021માં કંપનીના શેરમાં 250 ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષે સમાન ગાળામાં કંપનીના શેરમાં 54 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એવરગ્રીન મરીન કંપનીનું નામ 2021ની શરૂઆતમાં ચર્ચામાં આવ્યું, જ્યારે તેનું સંચાલન કરતું એક જહાજ સુએઝ કેનાલમાં ફસાઈ ગયું હતું.


Aadhaar Card Security: આધાર વપરાશકર્તાઓ માટે ખાસ ખબર! હવેથી નહીં થઇ શકે ડેટા ચોરી 


Aadhaar Card: આજકાલ આધાર સાથે જોડાયેલ છેતરપિંડીના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જો UIDAIની આ સુરક્ષા સુવિધાઓનો ઉપયોગ કરવો કરશો તો તમારો ડેટા રહેશે સુરક્ષિત.


Aadhaar Card Security: બદલાતા સમય સાથે આધાર કાર્ડની ઉપયોગિતા ઘણી વધી ગઈ છે. તેનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ ID તરીકે થાય છે. દરેક વ્યક્તિનું નામ, સરનામું, ઉંમર, લિંગ જેવી મહત્વની માહિતી આધાર કાર્ડમાં નોંધવામાં આવે છે. આવી સ્થિતિમાં આધાર સાથે જોડાયેલ છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. સાયબર ગુનેગારો આધાર દ્વારા બેંક ખાતાની વિગતો મેળવીને ઘણી વખત ખાતું ખાલી કરે છે. આવી સ્થિતિમાં UIDAI લોકોને આધાર ડેટા બચાવવા માટે અનેક ઉપાયો જણાવે છે. UIDAI એવી ઘણી સેવાઓ પ્રદાન કરે છે જેના દ્વારા તમે તમારા આધારને દુરુપયોગથી બચાવી શકો છો