Delhi Liquor Policy Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. જસ્ટિસ એ.એસ ઓકની આગેવાની હેઠળની બેન્ચે કેજરીવાલના સ્વાસ્થ્યની તપાસ માટે વચગાળાના જામીન 7 દિવસ સુધી વધારવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આટલું જ નહીં, ખંડપીઠે અરજી મોડી ફાઇલ કરવા પર પણ સવાલો ઉઠાવ્યા હતા.


જસ્ટિસ એએસ ઓકની બેન્ચે કહ્યું કે, મુખ્ય મામલામાં આદેશ 17 મેના રોજ અનામત રાખવામાં આવ્યો હતો. તે બેંચના સભ્ય જજ ગયા અઠવાડિયે વેકેશન બેન્ચમાં હતા. ત્યારે તમે આ માંગણી કેમ ન કરી? વેકેશન બેન્ચે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીને  કહ્યું કે,ચીફ જસ્ટિસને સુનાવણી માટે વિનંતી કરવાનું કહેવા અનુરોધ કર્યો હતો


કેજરીવાલ 1 જૂન સુધી વચગાળાના જામીન પર છે.


હકીકતમાં, દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપમાં 21 માર્ચે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલે પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 10 મેથી 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. તેણે 2 જૂને સરન્ડર કરવું પડશે.


કેજરીવાલે પોતાની અરજીમાં શું કહ્યું?


કેજરીવાલે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે ધરપકડ બાદ તેમનું  7 કિલો વજન ઘટી ગયું છે. આટલું જ નહીં તેનું કીટોન લેવલ પણ વધી ગયું છે. આવી સ્થિતિમાં, આ લક્ષણો ગંભીર હોઈ શકે છે. મેક્સના ડોક્ટરોએ તેની તપાસ કરી છે. હવે PET-CT સ્કેન અને ઘણા ટેસ્ટ કરાવવાની જરૂર છે. આવી સ્થિતિમાં સીએમ કેજરીવાલે આ તપાસ કરવા માટે 7 દિવસનો સમય માંગ્યો છે.                         


 


17 મેના રોજ, સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ સમય દરમિયાન, કોર્ટે તેમને નિયમિત જામીન માટે નીચલી કોર્ટમાં જવાની મંજૂરી આપી હતી, તપાસ એજન્સીએ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરી છે. તે અત્યારે જેલમાં છે. આ કેસમાં AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે.