Accident: યાત્રાધામ દ્વારકા નજીકના બસ પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 25 લોકોને ઇજા પહોંચી છે. તો 1નું મૃત્યુ થયાના સમાચાર છે.


યાત્રાધામ દ્વારકા નજીકના બસ પલ્ટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 25 લોકોને ઇજા પહોંચી છે. તો 1નું મૃત્યુ થયાના સમાચાર છે. દ્રારકા પોરબંદર હાઇવે પર  ગતરાત્રિના સમયે પરપ્રાંતિય યાત્રાળુઓ સાથેની એક બસ પલ્ટી ગઇ હતી. દુર્ઘટનામાં 25 થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ  થઇ છે.



છત્તીસગઢથી યાત્રા માટે આવેલી આ બસ દ્વારકાથી દર્શન કરીને  સોમનાથ તરફ જઈ રહી હતી આ સમયે દ્વારકાથી પોરબંદર તરફ જતા માર્ગ પર આવેલા નાવદ્રા ગામના પાટીયા પાસેથી રાત્રિના આશરે એકાદ વાગ્યાના સમયે આ ખાનગી બસ કોઈ કારણોસર પલટી ગઇ હતી અને એ સમયે ચિચિયારી મચી ગઇ હતી.  ઘટનાની જાણ થતાં  આ બનાવ બનતા સ્થાનિકો દ્વારા ઈમરજન્સી 108 ને જાણ કરવામાં આવી હતી. જેથી 108 નો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘવાયેલાઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બસ અકસ્માતમાં એક મુસાફરને વધુ ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે આ બસમાં સવાર આશરે 25 થી 30 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા સારવાર આપવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ ઘટનામાં એક મહિલાનું મોત જયારે  4થી 5 લોકોના  હાથ પગમાં ફેંકચર  થયાના સમાચાર છે. કલ્યાણપુર. રાણ.લીમડી. અડવાણા હર્ષદની 108ની ટીમે તાબડતોબ ઇજાગ્રસ્તોને  પ્રાથમિક સારવાર આપી હતી.


બનાસકાંઠાના થરાદની દાંતિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ ભરેલી બસે  પલટી જતાં અકસ્માત


બનાસકાંઠાના થરાદની દાંતિયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ ભરેલી બસે  પલટી જતાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં  8થી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે.
બનાસકાંઠાના થરાદની દાંતિયા પ્રાથમિક શાળાની બસ  વિદ્યાર્થીઓને લઇને શૌક્ષણિક પ્રવાસે સૌરાષ્ટ્ર જઇ રહી હતી. આ સમયે અચાનક કોઇ કારણોસર બસ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અત્યાર સુધી મળતી માહિતી મુજબ બસમાં સવાર વિદ્યાર્થીઓમાંથી આઠથી વધુ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે વિદ્યાર્થીઓને સારવાર અર્થે થરાદની ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.


Accident: સુરતમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, પિક વાન ડિવાઇડર કૂદી સામને રોડ પર બાઇકમાં અથડાઇ, દુર્ઘટનામાં 4નાં મોત


Surat News:સુરતના કામરેજના વેલન્જા-નવી પારડી રોડ પર અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. અહીં ગઈકાલે રાત્રે  ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.


સુરતના કામરેજના વેલન્જા-નવી પારડી રોડ પર ગઇ કાલ રાત્રે ગમખ્વાર અકસ્માત થયો હતો. અહીં અંત્રોલી પાસે પિકઅપનું ટાયર ફાટતા અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે  ટાયર ફાટતાંની સાથે પિક અપ વાન ડિવાઇડર કુદાવીને બે બાઇકર્સને પણ અડફેટે લીધા હતા. આ ઘટનામાં બાઇક સવાર દંપતી સહિત 4 લોકોના મોત થયા છે. તો અન્ય એક ઇજાગ્રસ્ત છે. જેને સારવાર માટે તાબડતોબ હોસ્પિટલ લઇ જવાયા હતા. ઘટનાના પગલે કામરેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતના કારણોની તપાસ કરીને વિગત એકત્ર કરી હતી. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


તો બીજી એક અકસ્માતની ઘટનામાં ફ સુરતના લીંબાયત વિસ્તારના બે યુવકો પણ મોતના ભેટ્યા છે. અહીં વાહન  ડિવાઈડર સાથે અથડતા અકસ્માત સર્જાયો હતો. બે યુવકો સુરતથી નવસારી કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે તેમને માર્ગ અકસ્માત નડ્યો હતો. આ માર્ગ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તો તો બીજા યુવકનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ નિધન થયું હતું. મૃતકનું નામ સાદિક અનીસ અહમેદ હતું જેની ઉંમર 22 હતી. અને બીજા મૃતકનું નામ હાસીમ રહીશ