Lok Sabha Election 2024: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના લોકસભાની ચૂંટણી લડવાને લઈને કોંગ્રેસમાં નિવેદનોની સ્પર્ધા ચાલી રહી છે. મણિપુરના કોંગ્રેસના પ્રભારી ભક્તચરણ દાસે કહ્યું છે કે, જો રાહુલ ગાંધી મણિપુરથી ચૂંટણી લડશે તો ઐતિહાસિક જીત થશે. આ પહેલા યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે પણ રાહુલ ગાંધી ફરી એકવાર અમેઠીથી ચૂંટણી લડવાની વાત કરી છે. તેમણે કહ્યું કે અમેઠીના લોકો 2024માં 2019ની ભૂલ સુધારશે.


હવે ભાજપે કોંગ્રેસના દાવા પર પલટવાર કર્યો છે. બીજેપી નેતા આરપી સિંહે પડકાર ફેંક્યો કે, જો રાહુલ ગાંધીની ડિપોઝિટ જપ્ત થતી બચી જશે તો તો તેઓ રાજકારણ છોડી દેશે. બીજેપી નેતાએ બીજુ શું કહ્યું તે જાણતા પહેલા કોંગ્રેસ નેતાઓના નિવેદનો જોઈએ.


મણિપુરમાંથી ઐતિહાસિક જીતનો દાવો કરે છે


કોંગ્રેસના નેતા અને પાર્ટીના મણિપુર પ્રભારી ભક્ત ચરણ દાસે કહ્યું, 'હું આજે કહી રહ્યો છું કે રાહુલ ગાંધી મણિપુરની કોઈપણ સીટ પરથી ઉભા રહે, પછી ભલે તે નીચે (ઘાટીખીણ) કે ઉપર (પહાડી પ્રદેશ)માંથી ચૂંટણી લડે, તેમને જંગી મત મળશે અને ભવ્ય જીત થશે. કારણ કે આજે બંને મણિપુરના વિસ્તારના લોકોમાં ભાજપ માટે નફરત છે તેથી તેમની જીત નિશ્ચિત છે.


ઉત્તર પ્રદેશમાં, કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે અમેઠીથી ચૂંટણી લડવા પર જીતનો દાવો કર્યો છે. આનું કારણ જણાવતા રાયે કહ્યું, કારણ કે ત્યાંના કાર્યકર્તાઓ અને લોકોની માંગ છે કે, અમે લોકોએ કરેલી ભૂલોને સુધારીશું અને રાહુલ ગાંધીને અમેઠીથી જંગી બહુમતીથી ચૂંટણી જીતાડશું.


બીજેપીનો દાવો- ડિપોઝિટ જપ્ત થશે


અમેઠીથી ચૂંટણી લડવાના રાહુલ ગાંધીના દાવા પર બીજેપી નેતા આરપી સિંહે એબીપી ન્યૂઝને કહ્યું, આ વર્ષનો આ સૌથી મોટો રાજકીય મજાક છે. મારો પડકાર સ્વીકારો, તેમને કહો કે રાહુલ ગાંધી સામે લડે. ભાગશો નહીં, તમારી વાતને વળગી રહો. તેમણે કહ્યું કે જો તમે રાહુલ ગાંધીની ડિપોઝિટ પણ  બચાવી  છો તો હું મારું નામ બદલી દઇશ,આરપી સિંહે વધુમાં કહ્યું કે, અમેઠી અને યુપીના લોકો  રાહુલ ગાંધીને નકારી દીધા છે. આજે, તેમને (અમેઠીના લોકોને) સ્મૃતિ ઈરાની જેવી નેતા મળી છે, જે તેમની દરેક બાબતનું ધ્યાન રાખે છે, સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખે છે.


આરપી સિંહે એવો પણ દાવો કર્યો હતો કે આ વખતે રાહુલ ગાંધી વાયનાડથી પણ ચૂંટણી નહીં લડે. તેઓ બીજું વાયનાડ શોધી કાઢશે. તેઓ તામિલનાડુ કે અન્ય કોઈ રાજ્યમાં જશે અને  ક્યાંથી પણ  ચૂંટણી લડશે. પરંતુ એ નિશ્ચિત છે કે અમેઠીમાં તેમની ડિપોઝિટ જપ્ત થશે.