Gujarat Budget: બજેટમાં "ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર" પ્રૉજેક્ટને મહત્વ, ટ્રાફિકથી છૂટકારો મળશે ને મુસાફરીનો સમય બચશે
Gujarat Budget 2025: હાલના ટ્રાફિક સંકટને ધ્યાનમાં રાખતા, આ નવા કોરીડોર્સ ટ્રાફિકને દૂર કરશે અને યાત્રા માટે વધુ સગવડતા પેદા કરશે

Gujarat Budget 2025: રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ આજે ગૃહમાં પોતાનુ ચોથીવારનું બજેટ રજૂ કર્યુ હતુ, આ બજેટમાં રાજ્યના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ સામેલ કરવામાં આવી હતી, આમાં સૌથી વધુ ચર્ચિત હાઇસ્પીડ કૉરિડોર પ્રૉજેક્ટની થઇ રહી હતી, રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાની નિવારણ કરવા માટે સરકારે બજેટ 2025-26માં "ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર" પ્રૉજેક્ટને પ્રોત્સાહન આપ્યુ છે. આ પ્રૉજેક્ટ માટે 1020 કરોડનું રોકાણ કરવાની જોગવાઇ કરવામાં આવી છે, આજે નાણામંત્રી કનુ દેસાઇએ 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે.
આજના ગુજરાતના બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત અને સરળ બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. ખાસ વાત છે કે, "ગરવી ગુજરાત હાઈસ્પીડ કૉરીડોર" પ્રૉજેક્ટ હેઠળ ૧૩૬૭ કિ.મી. લાંબા હાઈસ્પીડ કોરીડોર્સનું નિર્માણ કરવામાં આવશે. આ નવા માર્ગો રાજ્યના મુખ્ય શહેરો અને વિસ્તારોને જોડશે, જેનાથી મુસાફરીનો સમય ઘટી જશે અને વાહનચાલકોને ખૂબ રાહત મળશે. ગુજરાતમાં ટ્રાફિકના વધતા પ્રશ્નોને દૂર કરવા માટે અને યાત્રાઓને વધુ સગવડદાયક બનાવવા માટે ૧૨ નવી હાઈસ્પીડ કોરીડોર્સ વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
"ગરવી ગુજરાત હાઈસ્પીડ કૉરીડોર"
આ "ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડૉર" પ્રૉજેક્ટ હેઠળ ૧૩૬૭ કિ.મી. લાંબા હાઈસ્પીડ કોરીડોર્સનું નિર્માણ કરવામાં આવશે. આ નવા માર્ગો રાજ્યના મુખ્ય શહેરો અને વિસ્તારોને જોડશે, જેનાથી મુસાફરીનો સમય ઘટી જશે અને વાહનચાલકોને ખૂબ રાહત મળશે. આની આવી આવતી આપત્તિઓથી પણ બચી શક્યા છે.
હાલના ટ્રાફિક સંકટને ધ્યાનમાં રાખતા, આ નવા કોરીડોર્સ ટ્રાફિકને દૂર કરશે અને યાત્રા માટે વધુ સગવડતા પેદા કરશે. આ પ્રોજેક્ટના પરિણામે રાજ્યમાં આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. વધુ વ્યવસાય અને રોજગારીના તકો ઉભા થશે. વધુ એકસપ્રેસ માર્ગો અને કોરીડોર્સના કારણે લોકો વધુ ઝડપી અને સારા રસ્તાઓનો લાભ લઈ શકે છે. વધુમાં રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને “નમોશક્તિ એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે. અમદાવાદથી રાજકોટ અને તેનું એક્ષટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક, પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતાં “સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત મહત્વના પ્રવાસન સ્થળોને હવાઇ માર્ગે જોડવાનું આયોજન છે. ભારત સરકારના સહકારથી સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે કુલ ₹૧૦૨૦ કરોડનો રોકાણ કરવામાં આવશે, જે રાજ્યની શ્રેષ્ઠતા અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આ પ્રોજેક્ટ ગુજરાતના પરિવહન વિભાગ માટે નવા સમયમાં પ્રવેશ કરાવશે અને રાજ્યના મુખ્ય માર્ગોને વધુ મજબૂત અને સારા બનાવશે.
આ પણ વાંચો
Gujarat Budget: મહિલા આત્મનિર્ભરતાને વેગ આપશે 'સખી સાહસ' યોજના, મહિલાઓને શું શું મદદ મળશે ?





















