Gandhinagar News: વિધાનસભા ગૃહમાં સરકારનો સ્વીકાર, જામનગરની JCC હોસ્પિટલમાં PM-JAY અંતર્ગત 8,69,470નું થયું કૌભાંડ
જામનગરની JCC હોસ્પિટલમાં PM-JAY અંતર્ગત 8,69,470નું કૌભાંડ થયાનો સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર કર્યો હતો.

જામનગરની JCC હોસ્પિટલમાં PM-JAY અંતર્ગત 8,69,470નું કૌભાંડ થયાનો સરકારે વિધાનસભા ગૃહમાં સ્વીકાર કર્યો હતો. વિધાનસભા ગૃહમાં અમિત ચાવડાના સવાલમાં સરકારે કૌભાંડનો સ્વીકાર કર્યો હતો. આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે JCC હોસ્પિટલમાંથી રૂપિયા 8,69,470નું કૌભાંડ પકડાયું હતું. બાદમાં JCC હોસ્પિટલ પાસેથી રૂપિયા 8,69,470 દંડ સ્વરૂપે વસૂલાયા હતા. ડો. પાર્શ્વ વોરાને PM-JAY યોજનામાંથી સસ્પેન્ડ કરાયા હતા. ગેરરીતિ બદલ જામનગર જિલ્લામાં 29 હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી હતી.
ઊર્જામંત્રીએ ભૂલ કરતા અધ્યક્ષે ટકોર કરી
વિધાનસભા ગૃહમાં ઊર્જામંત્રીએ ભૂલ કરતા અધ્યક્ષે ટકોર કરી હતી. ઋષિકેશ પટેલે અમારા મુખ્યમંત્રી એવો શબ્દ પ્રયોગ કરતા અધ્યક્ષે ટકો કરી હતી. અધ્યક્ષે ટકોર કરી હતી કે મુખ્યમંત્રી આપડા હોય અમારા ના હોય. મુખ્યમંત્રી સમગ્ર રાજ્યના હોય તેવી અધ્યક્ષે ટકોર કરી હતી. અધ્યક્ષની ટકોર બાદ ગૃહમાં ઋષિકેશ પટેલે ભૂલ સ્વી માફી માંગી હતી.
પાણીજન્ય રોગચાળાનો મુદ્દો ગૂંજ્યો ગૃહમાં
ગાંધીનગર-અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગૂંજ્યો હતો. MLA જીગ્નેશ મેવાણીનાં સવાલમાં સરકારે આંકડા રજૂ કર્યા હતા. સરકારે જણાવ્યું હતું કે વર્ષ 2024ની સામે 2025ના 2 મહિનામાં ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો વધ્યો હતો. અમદાવાદની સરખામણીએ પાટનગર ગાંધીનગરમાં પાણીજન્ય રોગચાળો વધારે હતો. ગાંધીનગરમાં વર્ષ 2024માં પાણીજન્ય રોગચાળાના 7,459 કેસ અને 2025માં 6542 કેસ જ્યારે અમદાવાદમાં વર્ષ 2024માં પાણીજન્ય રોગચાળાના 12,141 કેસ અને 2025માં 10,121 કેસ નોંધાયા હતા. એ જ રીતે ગાંધીનગરમાં વર્ષ 2024માં કમળાના 105ની સામે વર્ષ 2025ના શરુઆતમાં 181 કેસ, ગાંધીનગરમાં વર્ષ 2024માં ટાઈફોઈડના 138 સામે વર્ષ 2025ના શરુઆતમાં 266 કેસ, ગાંધીનગરમાં વર્ષ 2024માં મલેરિયાના 45 કેસ સામે વર્ષ 2025ના શરુઆતમાં 41 કેસ, અમદાવાદમાં વર્ષ 2024માં કમળાના 24ની સામે વર્ષ 2025ના શરુઆતમાં 31 કેસ, અમદાવાદમાં વર્ષ 2024માં ટાઈફોઈડના 73 સામે વર્ષ 2025ના શરુઆતમાં 57 કેસ, અમદાવાદમાં વર્ષ 2024માં મલેરિયાના 6 કેસ સામે વર્ષ 2025ના શરુઆતમાં 4 કેસ નોંધાયા હતા. વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંકલ્પ રજૂ કર્યો હતો. વંદે માતરમ્ ગીતના 150 વર્ષ નિમિતે તેમણે સંકલ્પ રજૂ કર્યો હતો. વંદે માતરમને રોજિંદા જીવનમાં અનુસરવાનો સંકલ્પ રજૂ કરાયો હતો.























