Gandhinagar News: પેટ્રોલ-ડીઝલને લઈ આવતીકાલે ગુજરાત વિધાનસભામાં ચર્ચા કરાશે. નિયમ 116 અંતર્ગત કાલે વિધાનસભામાં પેટ્રોલ-ડીઝલ મુદ્દે ચર્ચા થશે. કોંગ્રેસના હોબાળા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રહાર કર્યા હતા. સંઘવીએ કહ્યું હતું કે જાણી જોઈને ષડયંત્ર રૂપે લોકોમાં ખોટો મેસેજ જાય એનો પ્રયાસ ચાલી રહ્યો છે. જાણી જોઈને અફવાઓના માધ્યમથી લોકોને ખોટા રવાડે ચઢાવાયા છે. પેટ્રોલ-ડીઝલ તમામને મળી રહ્યું છે. એક પણ વ્યક્તિ પેટ્રોલ-ડીઝલ વગર જઈ રહ્યા નથી. સરકારે તમામ વ્યવસ્થાઓ કરી છે. 

બીજી  તરફ ધારાસભ્યોના વિશેષ અધિકારનો ભંગ થયાની અધ્યક્ષને ફરિયાદ કરવામાં આવી છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો.તુષાર ચૌધરીએ ફરિયાદ કરી હતી. તુષાર ચૌધરીએ કહ્યું કે ગાડીના કાચ અને ડેકી ખોલાવી પોલીસે તપાસ કરી હતી. અન્ય સરકારી ગાડીઓ જવા દેવામાં આવી હતી. ગોપાલ ઈટાલિયાએ ફરિયાદ કરતા કહ્યું સભ્યોના વિશેષાધિકારનો ભંગ થયો છે. પોલીસે ગેટ નં. એક પર ગાડી રોકી તપાસ કરી છે. અધ્યક્ષે સમગ્ર બાબતને લઈ રિપોર્ટ માંગ્યો હતો. 

મુખ્યમંત્રીએ લોકોને શું કરી અપીલ?

Continues below advertisement
Continues below advertisement

પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. તમામને પેટ્રોલ-ડીઝલ મળતું રહેશે. કોઈને તકલીફ ન પડે તેવું આયોજન સરકાર કરી રહી છે. ગેસની પણ કોઈ અછત નથી. 

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકે  પરિપત્ર જાહેર કર્યો હતો. પેટ્રોલ-ડીઝલને લઈ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાને લઈ પરિપત્ર જાહેર કરાયો હતો. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક હોવાની વાત કરાઈ હતી. પેટ્રોલ પંપ પર નિયમિત જથ્થો પહોંચાડાઈ રહ્યો છે. વાહનો સિવાય અન્ય બોટલ કે બેરલમાં પેટ્રોલ અપાશે નહીં. સંગ્રહખોરી કરનાર સામે કાર્યવાહી કરાશે.

પેટ્રોલ-ડીઝલની સ્થિતિને લઈને રાજ્યના નાગરિકોને ગભરાવવાની કોઈ જરૂર નથી. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતો છે.  રાજ્યના નાગરિકોને આશ્વાસન આપતા અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખાંધરે અપીલ કરી કે પેટ્રોલ ડીઝલની સ્થિતિને લઈને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય પાસે પૂરતો સ્ટોક છે.