શોધખોળ કરો

સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA

મહેસૂલ વિભાગે મંગળવારે સાંજે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં સંપાદન થનારી જમીનને NA આપવા માટે નવી કાર્યપ્રણાલીનો અમલ કરવા કલેકટરોને આદેશ કરાયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સરકારી પ્રોજેક્ટ હેઠળ આવતી ખેતીની જમીન NA કરાવવા પર રોક.
  • જમીન સંપાદન હેઠળની જમીન NA કરવા નવી પ્રણાલી લાગુ.
  • DPR તૈયાર થાય ત્યારે ગામોમાં NA કાર્યવાહી સ્થગિત કરાશે.
  • પ્રોજેક્ટમાં સમાવિષ્ટ ગામોની યાદી મળ્યાથી ૬૦ દિવસ NA સ્થગિત.

રાજ્યના મહેસૂલ વિભાગે સંભવિત સંપાદિત જમીન અંગે લીધો મહત્વપૂર્ણ નિર્ણય હતો. રેલવે, હાઈવે, રિંગ રોડ, એરપોર્ટ, શૈક્ષણિક સંસ્થા, નહેર, હોસ્પિટલ કે વીજ લાઈન સહિતના સરકારી પ્રોજેક્ટમાં સંપાદન હેઠળ જવાની શક્યતા ધરાવતી ખેતીની જમીન બિનખેતી NA કરાવીને તગડુ વળતર સેરવી લેવાની મોડસ ઓપરેન્ડી ઉપર રાજ્ય સરકારે રોક લગાવી દીધી છે.  

મહેસૂલ વિભાગે મંગળવારે સાંજે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં સંપાદન થનારી જમીનને NA આપવા માટે નવી કાર્યપ્રણાલીનો અમલ કરવા કલેકટરોને આદેશ કરાયો છે. જેથી હવે ગુજરાતમાં સંપાદક સંસ્થા તરફથી પ્રોજેક્ટનો ડિટેઈલ્સ પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર તૈયાર કરવાનું કામ શરૂ થાય ત્યારથી જ સંપાદન હેઠળના ગામોમાં એક વર્ષ સુધી NAની કાર્યવાહી સ્થગિત કરવા સૂચના અપાઈ છે.

સરકારે કરેલા પરિપત્રમાં સ્પષ્ટ કર્યું કે જો જમીન સંપાદનની પ્રક્રિયા દરમિયાન બિનખેતી કરાવી લેવામાં આવે છે. જેનાથી વિકાસ પ્રોજેક્ટ પર વિપરીત અસર થાય છે. સંપાદક સંસ્થા અર્થાત સરકારનો કોઈ વિભાગ કે પછી એજન્સી પર વધારાનો નાણાંકીય બોજ પડે છે. આથી આવા કિસ્સામાં NA અંગે નવી કાર્યપ્રણાલી અનુસરવા આદેશ અપાયો છે.

નવી SOP મુજબ જ્યારે કોઈ પ્રોજેક્ટનો DPR તૈયાર કરવાની કાર્યવાહી પ્રગતિ હેઠળ હોય ત્યારે જ પ્રોજેક્ટમાં સંભવિત સમાવિષ્ટ ગામોની યાદીને તૈયાર કરીને કલેકટરને સોંપવામાં આવશે. જેથી યાદી મળ્યાથી 60 દિવસ સુધી કલેકટરે આખા ગામમાં NAની કાર્યવાહી સ્થગિત કરવાની રહેશે. 60 દિવસમાં સંપાદન સંસ્થાએ ગામના સંપાદન કરવા પાત્ર સંભવિત સર્વે નંબરોને ઓળખવા પડશે. ત્યારબાદ અન્ય સર્વે નંબરો કે જ્યાં સંપાદન કરવાનું નથી ત્યાં NAની કાર્યવાહી કરવાની રહેશે.

  જમીન સંપાદન સમયે બિનખેતી કરી લાભ લેનારા તત્વોના મનસૂબા પર મહેસૂલ વિભાગે બ્રેક લગાવી હતી. સંભવિત સંપાદનના સર્વે નંબર વાળી જમીન બિનખેતી માટે સ્થગિત કરાશે.                                                                                                                       

Frequently Asked Questions

સરકારી પ્રોજેક્ટ માટે જમીન સંપાદનમાં બિનખેતી (NA) કરાવવા પર રાજ્ય સરકારે શું નિર્ણય લીધો છે?

રાજ્ય સરકારે સરકારી પ્રોજેક્ટમાં સંપાદન થવાની શક્યતા ધરાવતી ખેતીની જમીનને બિનખેતી (NA) કરાવીને તગડું વળતર મેળવવાની પ્રથા પર રોક લગાવી છે. હવે નવા નિયમો મુજબ, પ્રોજેક્ટનો DPR તૈયાર થવાનું શરૂ થાય ત્યારથી જ સંપાદન હેઠળના ગામોમાં એક વર્ષ સુધી NA કાર્યવાહી સ્થગિત રહેશે.

જમીન સંપાદન દરમિયાન NA કરાવવાથી વિકાસ પ્રોજેક્ટ પર શું અસર થાય છે?

જમીન સંપાદન દરમિયાન NA કરાવવાથી વિકાસ પ્રોજેક્ટ પર વિપરીત અસર થાય છે. તેનાથી સંપાદક સંસ્થા (સરકારી વિભાગ કે એજન્સી) પર વધારાનો નાણાકીય બોજ પડે છે.

નવી SOP મુજબ, NA કાર્યવાહીની સ્થગિતતા કેટલી રહેશે અને તે કેવી રીતે કાર્ય કરશે?

નવી SOP મુજબ, પ્રોજેક્ટના DPRની કાર્યવાહી હેઠળ હોય ત્યારે, સંભવિત સમાવિષ્ટ ગામોની યાદી મળ્યાથી 60 દિવસ સુધી કલેકટરે આખા ગામમાં NA કાર્યવાહી સ્થગિત રાખવી પડશે. આ 60 દિવસમાં સંપાદન સંસ્થાએ સંપાદન હેઠળના સર્વે નંબરો ઓળખી લેવાના રહેશે.

60 દિવસની સ્થગિતતા બાદ, જે જમીન સંપાદન હેઠળ નથી આવતી તેનું શું થશે?

60 દિવસની સ્થગિતતા બાદ, સંપાદન હેઠળ નહીં આવતા અન્ય સર્વે નંબરો પર NAની કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bomb Threat: CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Bomb Threat: CM ઓફિસ, RSS ભવન, સ્વર્ણિમ સંકુલ- 1, AMCની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
રાજ્યના DGP તરીકે જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સંભાળ્યો ચાર્જ, પ્રોટોકોલ મુજબ કરાયું સ્વાગત
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
GSRTC Recruitment 2026: GSRTCના ડ્રાઈવર-કંડક્ટર માટે ભરતી જાહેર, જાણો ક્યારથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Advertisement

વિડિઓઝ

ગીર સોમનાથના ઉનામાં બેકાબૂ ટ્રેક્ટર દુકાનમાં ઘૂસ્યું,બાળકીનો ચમત્કારિક બચાવ
ભાયાવદર નજીક દારૂ ભરેલી કારે મારી પલટી, બુટલેગરને સારવાર માટે ખસેડાયો
મહેસાણા કોર્ટમાં સિંગર કાજલ મહેરિયાની બોગસ છૂટાછેડાની અરજી, કોર્ટની નોટિસ મળતા ફૂટ્યો ભાંડો
Ahmedabad | અમદાવાદના બોપલમાં મહાવીરસિંહના મોત કેસમાં સીસીટીવી આવ્યા સામે
Hun To Bolish : હું તો બોલીશ : રેકોર્ડબ્રેક
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
Surat: 'ભૂતિયા ડિમૉલિશન' મામલે મોટો ધડાકો, 12 દિવસ બાદ મનપાએ કહ્યું 'કાર્યવાહી સંપૂર્ણરીતે કાયદેસર'
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની એન્ટ્રી, 11થી 15 જૂન દરમિયાન આ જિલ્લામાં વરસશે વરસાદ
આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પ કહ્યું- તે દિવસ દૂર નથી જ્યારે ખાર્ગ ટાપુ પર કરવામાં આવશે કબજો
આજે રાત્રે ઈરાન પર મોટો હુમલો કરશે અમેરિકા? ટ્રમ્પ કહ્યું- તે દિવસ દૂર નથી જ્યારે ખાર્ગ ટાપુ પર કરવામાં આવશે કબજો
2027 ODI વર્લ્ડ કપની તારીખ આવી સામે, 4 ઓક્ટોબરથી શરૂ થશે ટુર્નામેન્ટ, આ દિવસે રમાશે ફાઇનલ- રિપોર્ટ
2027 ODI વર્લ્ડ કપની તારીખ આવી સામે, 4 ઓક્ટોબરથી શરૂ થશે ટુર્નામેન્ટ, આ દિવસે રમાશે ફાઇનલ- રિપોર્ટ
IND A vs AFG A: અફઘાનિસ્તાને બીજી વનડે જીતી; વરસાદે બગાડ્યો ટીમ ઈન્ડિયાનો ખેલ
IND A vs AFG A: અફઘાનિસ્તાને બીજી વનડે જીતી; વરસાદે બગાડ્યો ટીમ ઈન્ડિયાનો ખેલ
શ્રીલંકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; રાહુલ દ્રવિડના પુત્રને મળ્યો મોકો; જુઓ કોણ બન્યું કેપ્ટન
શ્રીલંકા સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત; રાહુલ દ્રવિડના પુત્રને મળ્યો મોકો; જુઓ કોણ બન્યું કેપ્ટન
ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને આપ્યો 350 રનનો લક્ષ્યાંક, ગાયકવાડ અને તિલકની ફિફ્ટી
ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને આપ્યો 350 રનનો લક્ષ્યાંક, ગાયકવાડ અને તિલકની ફિફ્ટી
FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ
FIFA World Cup 2026: આજથી ફૂટબોલનો મહાકુંભ, ઓપનિંગ સેરેમનીમાં શકીરા કરશે પરફોર્મ
Embed widget