ગાંધીનગરઃ  રાજ્યમાં કોવિડ-19ના નવા 1502 નવા કેસ નોંધાયા હતા.  રાજ્યમાં આજે વધુ 20 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3989 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,970 એક્ટિવ કેસ છે, જ્યારે 1,90,821 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 83 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,887 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,09,780 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 13,  સુરત કોર્પોરેશમાં 2, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 1, મોરબીમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 20 લોકોને કોરોના ભરખી ગયો હતો.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 291, સુરત કોર્પોરેશનમાં 212,  વડોદરા કોર્પોરેશનમાં 147, રાજકોટ કોર્પોરેશનમાં 105, મહેસાણામાં 70,  સુરતમાં 54, વડોદરામાં 40, રાજકોટમાં 35, કચ્છમાં 33, ગાંધીનગર અને પંચમહાલમાં 31-31, બનાસકાંઠા અને ગાંધીનગર કોર્પોરેશનમાં 28-28, જામનગર કોર્પોરેશનમાં 27, પાટણમાં 26, મોરબીમાં 25  કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1401 દર્દી સાજા થયા હતા અને 65,876 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 78,25,615  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.96 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,22,198 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,22,015 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 183 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉન લાદવા માટે શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી  ? જાણો મહત્વના સમાચાર

Corona Vaccine: કોરોનાની સારવારમાં 94 ટકા અસરકારક સાબિત થઈ આ રસી, ઉપયોગ માટે કરશે અરજી