ગાંધીનગર: આજે રાજ્યમાં 1181 કોરોના વાયરસના નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત થયા છે. આ સાથે સાથે કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 3569 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,717 એક્ટિવ કેસ છે, જ્યારે 1,32,310 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,631 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,51,596 પર પહોંચી છે.


રાજ્યમાં આજે કુલ 1413 દર્દી સાજા થયા હતા અને 51,250 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 50,12,705 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 87.27 ટકા છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરતમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 9 લોકોના મોત થયા હતા.