Gujarat board 10th result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધો. 10નું પરિણામ (SSC Result) જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જાણી શકશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે.


ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું 64.62 ટકા પરિણામ જાહેર. વર્ષ 2022માં 65.18 ટકા પરિણામ આવ્યું હતું. વર્ષ 2022ની સરખામણીએ 0.56 ટકા પરિણામ ઘટયું છે.


ક્યા વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ થયા નાપાસ



  • ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં સૌથી વધુ 237221 વિદ્યાર્થીઓ નાપાસ થયા

  • ધોરણ 10માં બેઝિક મેથ્સમાં 193624 વિદ્યાર્થીઓ નાપાસ થયા

  • ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં 97227 વિદ્યાર્થીઓ નાપાસ થયા

  • ધોરણ 10માં ગુજરાતી FL વિષયમાં 96286 વિદ્યાર્થીઓ નાપાસ થયા

  • ધોરણ 10માં ઈંગ્લીશ SL વિષયમા 95544 વિદ્યાર્થીઓ નાપાસ થયા

  • ધોરણ 10માં હિન્દી SL વિષયમાં 40906 વિદ્યાર્થીઓ નાપાસ થયા

  • ધોરણ 10માં સંસ્કૃત SL વિષયમા 34183 વિદ્યાર્થીઓ નાપાસ થયા

  • ધોરણ 10માં ગુજરાતી SL વિષયમાં 11258 વિદ્યાર્થીઓ નાપાસ થયા

  • ધોરણ 10માં ઇંગ્લિશ FL વિષયમાં 4396 વિદ્યાર્થીઓ નાપાસ થયા

  • ધોરણ 10માં સ્ટાન્ડર્ડ મેથ્સ વિષયમાં 3930 વિદ્યાર્થીઓ નાપાસ થયા

  • ધોરણ 10માં હિન્દી FL વિષયમાં 1666 વિદ્યાર્થીઓ નાપાસ થયા


પરિણામની મોટી વાતો


- 741411 વિદ્યાર્થીઓએ નોંધાયા હતા તે પૈકી 474893 વિદ્યાર્થીઓ પાસ થયા.









- સુરત જિલ્લો પ્રથમ


- દાહોદ પરિણામમાં સૌથી નબળું


- 272 શાળાઓનું 100 ટકા પરિણામ


- રાજ્યમા એક પણ માસ કોપિકેસ નોંધાયો નથી


- A 1ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો. ગયા વર્ષે 12090 A 1 ગ્રેડ હતું, જે આ વર્ષે 6111 છે. 


- 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 272 ગયા વર્ષે 294 હતી. 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓ 121 હતી જે આ વર્ષે 157 છે.


- પરીક્ષામાં કુલ 741411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 734898 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.


- સૌથી વધુ બનાસકાંઠા ના કુંભારીયાનું 95.92 ટકા પરિણામ 


- સૌથી ઓછું નર્મદા ના ઉતાવળી કેન્દ્ર નું 11.94 ટકા પરિણામ


- સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત 76.45 ટકા.


- સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.75 ટકા.


- 30 ટકા કરતા ઓછુ પરિણામ વાળી શાળા 1084


- ગુજરાતી વિષયમાં 16 ટકા વિધાર્થીઓ નાપાસ થયા.


- જ્યારે રિપીટર પરીક્ષાર્થી તરીકે 165690 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.  તે પૈકી 158623 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  જેમાંથી 27446 પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ 17.30 ટકા આવ્યું છે.


- આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 16745 પરીક્ષાર્થીઓ પૈકી 14635 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 1915 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ 13.09 ટકા આવેલ છે.