ગાંધીનગર:  કોરોના વાયરસના નવા વેરિયન્ટ JN.1ને ફરી ચિંતા વધારી છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 9 કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા ગુજરાતમાં 32 પર પહોંચી છે.   આજે અમદાવાદમાં નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાના નવા વિરિયન્ટ JN.1એ કોરોનાથી ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. અમદાવાદમાં પણ સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં વધુ 6 લોકોના પોઝિટિવ કેસ નોંધાયા છે.  અમદાવાદ શહેરમાં 4 પુરુષો અને 2 મહિલાઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


અમદવાદમાં કુલ એક્વિ કેસની સંખ્યા 18 પર પહોંચી  


હાલ અમદવાદમાં કુલ એક્વિ કેસની સંખ્યા 18 પહોંચી છે. અમદાવાદના નવરંગપુરા, બોડકદેવ, થલતેજ વિસ્તારમાં રહેતા 6 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરાન્ટાઇન કરવામાં આવ્યા છે. આ 6 કેસમાં 2 લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ સામે આવી છે. એક દર્દીએ સિંગાપુરની તો એક અન્ય  દર્દીએ પુણેનો પ્રવાસ કરીને પરત ફર્યાં છે. તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.


શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 640 નવા કેસ નોંધાયા છે, જેમાંથી એકલા કેરળમાં 265 નવા કોરોના દર્દીઓ છે. આ ઉપરાંત કેરળમાં પણ એક સંક્રમિત વ્યક્તિનું મોત થયું છે. દેશમાં હાલમાં કોરોનાના 2997 સક્રિય કેસ છે.


કેન્દ્ર સરકારે લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાનું શરૂ કરવાની સલાહ આપી છે. હોસ્પિટલો અથવા ભીડવાળા સ્થળોએથી પાછા ફર્યા પછી સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. કેરળને અડીને આવેલા કર્ણાટકમાં બે દિવસ પહેલા એક વ્યક્તિના મોત બાદ ચેપને લઈને ચિંતા વધવા લાગી છે. કેરળમાં કેસ વધવાને કારણે પડોશી રાજ્યો તમિલનાડુ, કર્ણાટક અને ગોવામાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. 


કેરળમાં ચેપ સૌથી વધુ છે


કેરળમાં કોરોના સંક્રમણને લઈને સૌથી વધુ ચિંતા છે. રાજ્યમાં બે દિવસમાં ચાર મૃત્યુ સાથે, કેરળમાં ત્રણ વર્ષ પહેલાં ચેપ શરૂ થયો ત્યારથી મૃત્યુની કુલ સંખ્યા 72,600 પર પહોંચી ગઈ છે.તાજેતરમાં, કેરળમાં કોરોનાવાયરસનું નવું પેટા પ્રકાર, JN.1 મળી આવ્યું હતું. જેના કારણે પડોશી રાજ્યો કર્ણાટક, તમિલનાડુ અને ગોવામાં પણ તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાની સલાહ આપી છે. દરમિયાન, એક દિવસ પહેલા, પશ્ચિમ બંગાળમાં ત્રણ લોકોને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે.