અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન અને એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટીવ એડિટર રોનક પટેલ હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. અસ્મિતા સન્માન પુરસ્કાર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપીને વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરનાર મહાનુભાવોને આપવામાં આવે છે. આ વર્ષે કળા-સંસ્કૃતિ, સાહિત્ય, શિક્ષણ, સામાજીક સેવા, રમત-ગમત, સંગીત, મનોરંજન, ઉદ્યોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરીને કુલ 9 મહાનુભાવોને અસ્મિતા સન્માન પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 


પારૂલ યુનિ.ના વાઇસ ચાન્સેલર એમ.એન. પટેલે અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ અંગે વાત કરતાં જણાવ્યું કે, એબીપી અસ્મિતા દ્વારા છેલ્લા 4 વર્ષથી આ અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આ પરંપરાને જાળવી રાખી છે તે બહુ સારી વાત છે. આ વર્ષનો અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ ભવ્ય રહ્યો અને સન્માન મેળવનાર મહાનુભાવોએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે. પારુલ યુનિ.ને આ કાર્યક્રમ સ્પોન્સર કરવાનો વિશેષ આનંદ છે. પારુલ યુનિ.ના વિદ્યાર્થીઓમાં પણ આ કાર્યક્રમનો એક સકારાત્મક સંદેશ પહોંચશે. દર વર્ષે આ કાર્યક્રમ યોજાતો રહે તે માટે એબીપી અસ્મિતાને શુભેચ્છા.