નર્મદાના ડેડીયાપાડામાં અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર,  ડેડીયાપાડામાં નિગટ ગામ પાસે અકસ્માતની ઘટના બની હતી. કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા.  કાર ચાલક નશાની હાલતમાં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનો પ્રાથમિક અંદાજ છે.  અકસ્માતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી.


Raipur Crime News: છત્તીસગઢમાં પણ શ્રદ્ધા મર્ડર જેવી ઘટના, હત્યા બાદ યુવતીની બોડીને પેટ્રોલ છાંટી બાળી ફેંકી દીધી


Raipur Crime News: છત્તીસગઢમાં પણ શ્રદ્ધા હત્યાકાંડ જેવી જ ઘટના બની છે.  હત્યા બાદ લાશને પેટ્રોલ છાંટીને 200 કિમી દૂર જંગલમાં ફેંકી દેવાઈ હતી.છત્તીસગઢમાં પણ શ્રદ્ધા હત્યા કેસ જેવો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે યુવતીની હત્યા કરી લાશને જંગલમાં ફેંકી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.


દિલ્હીમાં શ્રદ્ધા હત્યાની પીડાને લોકો ભૂલી શક્યા નથી કે, હવે છત્તીસગઢમાં આવો જ વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં  તેના પાગલ પ્રેમી તેની પ્રેમિકાને રાયપુરથી 200 કિમી દૂર લઈ ગયો અને ઓરિસ્સામાં તેની હત્યા કરી, અને યુવતીની લાશને જંગલમાં ફેંકી દીધી. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઓડિશા પોલીસ ટૂંક સમયમાં આનો ખુલાસો કરી શકે છે. આખરે,  યુવકે યુવતીની શા કારણે હત્યા કરી દીધીવાસ્તવમાં તનુ કુરે કોરબા જિલ્લાની રહેવાસી છે. તે રાયપુરની એક ખાનગી બેંકમાં નોકરી કરતી હતી. દરમિયાન તેની ઓળખ બાલાંગિરના વેપારી સચિન અગ્રવાલ સાથે થઈ હતી. બંને વચ્ચેની ઓળખાણ ધીરે-ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ, પરંતુ તનુને ખબર નહોતી કે સચિન તેને મારી નાખશે. 21 નવેમ્બરના રોજ તનુનો ફોન સ્વીચ ઓફ હોવાથી પરિવારના સભ્યો તેની સાથે વાત કરી શક્યા ન હતા. ગભરાયેલા સંબંધીઓ રાયપુર પહોંચ્યા અને અહીંના પાંડરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી


ખાસ વાત એ છે કે પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ બાદ પણ સચિન તનુના પરિવારના સભ્યોના સંપર્કમાં રહ્યો હતો. તે પરિવારના સભ્યોને ખાતરી આપતો રહ્યો કે તનુ સાથે તે  જલ્દીથી  લગ્ન કરી લેશે,  જો બાદ  તેનો સ્ક્રીનશોટ પરિવારના સભ્યોને પણ બતાવવામાં આવ્યો હતો જેથી પરિવારના સભ્યોને લાગે કે તનુ જીવિત છે, પરંતુ સચિને તનુને ગોળી મારી હત્યા કરી દીધી અને તનુની લાશને બાલાંગિરના જંગલમાં પેટ્રોલ નાખીને ફેંકી દીધી. જેથી પોલીસ તેની ઓળખ કરી શકી ન હતી. અહીં ઓરિસ્સા પોલીસને તનુનો મૃતદેહ મળ્યો અને રાયપુર પોલીસ અને ઓરિસ્સા પોલીસ વચ્ચે સંપર્ક થયો. ત્યારબાદ પરિજનોએ લાશની ઓળખ કરી હતી