અમદાવાદ:  અમદાવાદ(_Ahemdabad) શહેરમાં હવે 254 સ્થળો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.  નારોલ વિસ્તારમાં દેવ માણેક સોસાયટીમાં 50 મકાનોના 150 થી વધુ લોકોને  માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન(micro containment zone)માં રાખવામાં આવ્યા છે.  નિર્માણ રેસીડેન્સી વસ્ત્રાલના 30 મકાનોને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.   શહેરમાં વધુ 26 સ્થળોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જુના 3 સ્થળોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે. 


રાજ્યમાં કોરોના વાયરસ(Corona)નું સંક્રમણ સતત વધી રહ્યું છે.  રાજ્યમાં દરરોજ કોરોનાના રેકોર્ડબ્રેક  કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના આવ્યા પછી રાજ્યમાં આજે પ્રથમ વખત 2000થી વધુ કેસ નોંધાયા છે.  રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 2190 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.   સૌથી વધારે 609  કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં (AMC)604 કેસ નોંધાયા છે. રાજ્યના આ બંને શહેરોમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે જે ચિંતાજનક છે. 


રાજ્યમાં આજે વધુ 6  લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1422  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી કુલ મૃત્યુઆંક 4479 પર પહોંચ્યો છે.


સુરત કોર્પોરેશનમાં કોરોના સંક્રમણથી આજે 4 લોકોના મોત થયા છે, જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં એક મોત થયું છે, રાજકોટ કોર્પોરેશનમાં એક મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં  આજે 498 લોકોને ડીસ્ચાર્જ કરાયા જ્યારે સુરત કોર્પોરેશનમાં 422 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 


રાજ્યમાં અત્યાર સુધી 2,96, 320 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 2,81,707 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  હાલ 10134 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 લોકો વેન્ટિલેટર પર અને 10051 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.07 ટકા પર પહોંચ્યો છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


આજે સુરત કોર્પોરેશનમાં 4,  અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1નાં મોત સાથે કુલ 6 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4479 લોકોના કોરોનાથી મોત થયા છે. 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 609, સુરત કોર્પોરેશનમાં 604, વડોદરા કોર્પોરેશનમાં 165 ,  રાજકોટ  કોર્પોરેશનમાં 139, સુરતમાં 136, પાટણમાં -45, ભાવનગર કોર્પોરેશન-32, મહિસાગર-25,  નર્મદા-25,  રાજકોટ-25, જામનગર-24, જામનગર કોર્પોરેશન-23, ગાંધીનગર કોર્પોરેશન-22, વડોદરા -22, અમરેલી-20, દાહોદમાં-20, કચ્છ-20, ખેડામાં-19, મહેસાણા-19, મોરબીમાં-19 ગાંધીનગર-18, સુરેન્દ્રનગર-17, આણંદ-15, સાબરકાંઠા-15, ભરુચ-13, પંચમહાલ-13, નવસારી-12 અને વલસાડમાં 10 કેસ નોંધાયા હતા. 


કેટલા લોકોએ લીધી રસી



વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 40,89,217  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,25,153 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 2,29,051 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,11,864 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.