લોકડાઉનના કારણે અમદાવાદમાં ફસાયેલા લોકો આજે વેરાવળ પહોંચ્યા હતાં. ત્રણ બસમાં 91 લોકો આજે વહેલી સવારે વેરાવળ પહોંચ્યા હતાં. મૂળ વેરાવળના અને અમદાવાદમાં નોકરી, ધંધા અને અભ્યાસ અર્થે રહેતા લોકો લોકડાઉનના કારણે ફસાઈ ગયા હતા જોકે આ તમામ માટે સરકાર વ્યવસ્થા કરી હતી. 3 બસમાં સવાર થઈને 91 લોકો આજે વેરાવળ પહોંચ્યા હતાં જ્યાં આ તમામ લોકોને સોમનાથ લીલાવતી ભવન ખાતે કોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે.
આ તમામ લોકોનું આરોગ્ય વિભાગ દ્વારા મેડીકલ ચેકઅપ કરવામાં આવશે. હાલ 48 કલાક સુધી કોરેન્ટાઈન રહેશે. આ તમામ લોકોને વિનામુલ્યે વેરાવળ ખાતે પહોંડવામાં આવ્યાં છે. સેવાભાવી યુવાનો દ્વારા બસ ભાડાનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. આ સાથે મંજુરીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.