Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ (માવઠું) ને લઈને ચિંતાજનક આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ, 30 ઓક્ટોબર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ની સંભાવના છે. આ ઉપરાંત, 2 નવેમ્બર સુધી સામાન્ય વરસાદના ઝાપટાં પડવાની પણ સંભાવના છે. અંબાલાાલ પટેલે વધુમાં જણાવ્યું કે નવેમ્બર ની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક નવી ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેને કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે અને તેની અસર રૂપે 18 નવેમ્બર ની આસપાસ ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ છવાઈ શકે છે.

Continues below advertisement

30 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાનું અનુમાન

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ચાલી રહેલા કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો કરે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના મતે, 30 ઓક્ટોબર સુધી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, હવામાં રહેલો ભેજ અને બંગાળની ખાડી માં સક્રિય થયેલી સિસ્ટમના સંયુક્ત પ્રભાવને કારણે વરસી રહ્યો છે. તેમણે જણાવ્યું કે 2 નવેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટાં પડવાની પણ સંભાવના છે.

Continues below advertisement

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વધુ જોવા મળશે.

  • દક્ષિણ ગુજરાત: વલસાડ, તાપી, સુરત અને નવસારી જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
  • સૌરાષ્ટ્ર: જૂનાગઢ, ભાવનગર, મહુવા, જામનગર અને અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે.
  • મધ્ય અને ઉત્તર ગુજરાત: મધ્ય ગુજરાતના અમદાવાદ-ધોળકા ની આસપાસના વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે.

નવેમ્બર મહિનામાં બીજી વરસાદી સિસ્ટમનું જોખમ

ખેડૂતો અને સામાન્ય જનતા માટે વધુ એક ચિંતાજનક અનુમાન વ્યક્ત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, નવેમ્બર મહિનાની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક વધારે ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમને કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. અરબી સમુદ્રમાં પણ આ સમયગાળા દરમિયાન હલચલ જોવા મળે તેવી સંભાવના છે.

18 નવેમ્બરની આસપાસ ફરીથી માવઠાની શક્યતા

બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં સર્જાનારી આ સિસ્ટમની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડી શકે છે. અંબાલાલ પટેલના ચિંતાજનક અનુમાન મુજબ, આ સિસ્ટમના પ્રભાવને કારણે 18 નવેમ્બર ની આસપાસ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ શકે છે. આ આગાહી ખેડૂતો માટે વધુ એક વખત પાકની સુરક્ષા માટે સાવચેત રહેવાનો સંકેત આપે છે.