ગીરમાં હાલમાં બેબીસિયા વાયરસનો રોગચાળો ફેલાયો છે, જેના કારણે સિંહોના મોત થઈ રહ્યા છે.
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
Babesia Virus: ગીરના જંગલ વિસ્તારાં સિંહોના મોત થયા વન વિભાગ સહિત પ્રકૃતિપ્રેમીઓમાં ભારે ચિંતા ફેલાઇ છે

- ગીરમાં બેબીસીયા વાયરસથી પાંચ સિંહોના મોત.
- વાયરસથી બે સિંહબાળ, બે સિંહ કુદરતી મોત.
- એક સિંહનું ઈનફાઈટમાં મૃત્યુ થયું.
- સિંહોને આઇસોલેટ કરી સારવાર અપાઈ રહી છે.
Babesia Virus: ગીરના ગૌરવ સમાન એશિયાટીક સિંહો પર ફરી એકવાર માથે મોટુ સંકટ આવ્યુ છે. અત્યારે ગીરમાં બેબીસીયા વાયરસથી રોગચાળાનો ફાટી નીકળ્યો છે, બેબીસીયા વાયરસથી છેલ્લા એક સપ્તાહમાં પાંચ સિંહોના મોત થયાની પુષ્ટિ વન વિભાગે કરી છે. વન વિભાગે માહિતી આપી છે કે, બે સિંહબાળના મોત થયા છે, બે સિંહના મોત કુદરતી અને એક સિંહનું ઈનફાઈટમાં મૃત્યુ થયુ છે. ગીરમાં આ કાળમુખો વાયરસ બેફામ બન્યો છે અને એક જ અઠવાડિયામાં 5 સિંહનો મોત થતા હાહાકાર મચ્યો છે.
ગીરના જંગલ વિસ્તારાં સિંહોના મોત થયા વન વિભાગ સહિત પ્રકૃતિપ્રેમીઓમાં ભારે ચિંતા ફેલાઇ છે. આ સિંહોના મોત પાછળ ‘બેબીસિયા’ અને ‘સીડીવી’ જેવા વાયરસથી થતો જીવલેણ રોગ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. બેબીસિયા વાયરસ અને સિંહના મોત મામલે હવે ખુદ વન વિભાગે પુષ્ટિ કરી છે, PCCF જયપાલ સિંહે આ મામલે જણાવ્યું કે, હાલમાં ગીરમાં બેબીસીયા રોગચાળાથી હાહાકાર મચ્યો છે. એક સપ્તાહમાં પાંચ સિંહોના મોત થયા છે. બે સિંહ બાળના મોત રોગચાળાથી થયા છે. બે સિંહના મોત કુદરતી છે અને એક સિંહનું ઈનફાઈટમાં મૃત્યુ થયુ છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં સિંહોને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે. જો કોઈ લક્ષણો જણાય તો તુરંત સિંહોને સારવાર અપાઈ રહી છે.
ગુજરાતમાં 3,966 શિક્ષકોની બમ્પર ભરતી જાહેર; જાણો કઈ પોસ્ટ માટે ક્યારથી ભરાશે ફોર્મ?
ગીરના જંગલોમાં સિંહોનું કુદરતી નિવાસસ્થાન માનવામાં આવે છે, પરંતુ આ રોગચાળાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા વધારી દીધી છે. નોંધનીય છે કે, તાજેતરની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ સિંહો અમરેલી જિલ્લાના વિસ્તારમાં નોંધાયા છે, જેને કારણે અહીં તંત્ર વધુ સતર્ક બન્યું છે.
Frequently Asked Questions
ગીરમાં હાલમાં કયો રોગચાળો ફેલાયો છે?
બેબીસિયા વાયરસથી કેટલા સિંહોના મોત થયા છે?
એક સપ્તાહમાં બેબીસિયા વાયરસથી પાંચ સિંહોના મોત થયા છે. આમાં બે સિંહ બાળ, બે કુદરતી મૃત્યુ અને એક ઈનફાઈટમાં મૃત્યુ પામેલા સિંહનો સમાવેશ થાય છે.
સિંહોના મોત પાછળ કયા વાયરસ જવાબદાર છે?
સિંહોના મોત પાછળ બેબીસિયા અને સીડીવી જેવા વાયરસથી થતો જીવલેણ રોગ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
શું સિંહોને આઈસોલેટ કરવામાં આવ્યા છે?
હા, આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં સિંહોને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે અને લક્ષણો જણાતા તરત સારવાર અપાઈ રહી છે.






















