અમદાવાદ: મહાકુંભમાં જવા માગતા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. 4 ફેબ્રુઆરીથી અલગ-અલગ શહેરોમાંથી પાંચ બસો શરૂ કરવામાં આવશે. અમદાવાથી વધુ એક, સુરતથી 2, વડોદરાથી 1 અને રાજકોટથી એક બસ શરુ કરવામાં આવશે. જેમાં સુરત તથા રાજકોટથી નવી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ મુકામે કરવામાં આવશે. 

અમદાવાદ અને વડોદરાથી નવી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી મુકામે રહેશે. પ્રતિ વ્યક્તિ પેકેજ નક્કી કરાયા છે. જેમાં અમદાવાદથી ૭૮૦૦, સુરતથી ૮૩૦૦, વડોદરાથી ૮૨૦૦ તથા રાજકોટથી ૮૮૦૦ નિયત કરાયા છે. આ નવી બસનું ઓનલાઇન બુકિંગ આજે સાંજે પાંચ વાગ્યાથી એસ.ટી નિગમની વેબસાઈટથી થઇ શકશે.

રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું,  ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેંદ્ર પટેલના માર્ગદર્શન માં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે.

•તા: ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ કરવામાં આવશે.

•સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામા આવનાર છે. 

•અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામા આવનાર છે.

•શરુ થનાર નવીન તમામ ૫ બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. 

•પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. ૭૮૦૦, સુરતથી ૮૩૦૦, વડોદરાથી ૮૨૦૦ તથા રાજકોટથી ૮૮૦૦ નિયત કરવામાં આવેલ છે.

•આ નવી બસ નુંઓનલાઇન બુકિંગ આજ તા: ૦૨/૦૨/૨૦૨૫ ના રોજ સાંજે ૫  કલાક થી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે.