અમદાવાદ: કોરોનાનો કહેર ગુજરાતમાં યથાવત જ છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે. આજે બે નવા કેસ નોંધાયા છે. તેમાં અમદાવાદમાં 1 લોકલ ટ્રાન્સમિશન છે અને ગાંધીનગર અને અમદાવાદની 32 વર્ષની મહિલા કેસ છે. બે વેન્ટિલેટર પર બાકી બધાં સ્ટેબલ છે અને 5 લોકોને રજા આપી દેવામાં આવી છે, ટોટલ ક્વોરેન્ટાઈન 18 હજાર લોકો છે. 741 લોકો સરકારી ક્વોરેન્ટાઈન પર છે. ટોટલ પાંચ લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ડિસ્ટાર્જ થયેલા લોકોમાં 3 લોકો 60 વર્ષથી ઉપરના છે.
આ સાથે જ અમદાવાદ અને સુરતની 21 વર્ષની મહિલાને ડિસ્ટાર્જ કરવામાં આવી છે. વિદેશથી આવેલા 32 કેસ, આંતરરાજ્યના 4 કેસો , 37 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટમાં ચિંતા સાથે કડક લોકડાઉનમાં કરવામાં આવ્યું છે. 24 કલાક માટે 4 નિષ્ણાંતોની ટીમ ઉપલબ્ધ છે. હાઉસ ટુ હાઉસમાં સર્વેમાં ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે. 6 કરોડ 50 લાખ લોકો સર્વેલન્સ થયો છે. ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ લોકોને મહત્વની સલાહ આપી છે કે, જો કોરોના વાયરસથી વધુ લોકોનાં મોત ન થાય એવું ઈચ્છતા હોવ તો લોકડાઉનનું કડક રીતે અમલ કરવા માટે કહ્યું છે. લોકડાઉનનું પાલન કરવા અને ઘરમાં વૃદ્ધ સભ્યોની સાર-સંભળા રાખવાની અપીલ કરી છે. જેથી આપણે કોરોના વાયરસને વધુ ફેલાવવાથી રોકી શકાશે. જેટલા પણ લોકો છે જેમને સામાન્ય બીમારીઓ છે. તે તમામ જ વડીલોને અને ઘરના સભ્યો છે તેમને વિનંતી છે કે, બિન ચેપી રોગોની દવાને બ્રેક ન કરવી જેથી તેમને કોરોના વાયરસનો ચેપ ન લાગે. અમદાવાદમાં કોરોના વાયરસના સૌથી વધુ 25 કેસ પોઝીટીવ નોંધાયા છે. અમેરિકાથી આવેલા પુરૂષનો ગઈકાલે રિપોર્ટ પોઝીટવ આવ્યો હતો. રાજ્યમાં 33 કેસ લોકલ સંક્રમણના કારણે નોંધાયા છે. પોઝિટિવ કેસના 3થી 5 કિલોમીટરના તમામ વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
શહેર પોઝિટિવ કેસ મોત દર્દી સાજા થયા
અમદાવાદ 25 03 02
વડોદરા 9 00 00
રાજકોટ 10 00 00
ગાંધીનગર 09 00 00
સુરત 09 01 02
ભાવનગર 06 02 00
કચ્છ 01 00 00
ગીર-સોમનાથ 02 00 00
મહેસાણા 01 00 00
પોરબંદર 01 00 00
કુલ આંકડો 73 06 04