ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે રાજ્યમાં 1126 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ 175 કેસ સુરત કોર્પોરેશનમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1131 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 78.71 ટકા છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1131 લોકો હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પોતાને ઘરે પરત ફર્યા છે. જેમાં સૌથી વધુ દર્દીઓમાં સુરત કોર્પોરેશનમાં 305 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં આજે 156 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે.

જામનગર કોર્પોરેશનમાં આજે નવા 53 કેસ નોંધાયા છે, જ્યારે 68 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનમાં આજે નવા 89 કેસ નોંધાયા છે, જ્યારે 111 લોકોને સારવાર બાદ રજા અપાઈ છે.

ગુજરાતમાં આજે કોરોનાના 1126 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 20 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2822 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,410 એક્ટિવ કેસ છે, જ્યારે 63,710 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.