ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 949 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 17 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 46516 પર પહોંચી ગઈ છે. જ્યારે આજે વધુ 770 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યામાં અત્યાર સુધી 32944 દર્દીઓ સાજા થયા છે.


આજે નવા નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 177, અમદાવાદ કોર્પોરેશનમાં- 166, વડોદરા કોર્પોરેશનમાં-64, સુરત -57, ભરુચ 47, રાજકોટ કોર્પોરેશન 35, નવસારી- 30, ભાવનગર કોર્પોરેશન 25, રાજકોટ- 23, ખેડા- 21, મહેસાણા 21, ભાવનગર- 19, ગાંધીનગર- 19, જુનાગઢ 19, અમદાવાદ-18, વલસાડ- 17, દાહોદ- 15, કચ્છ- 15, પાટણ- 15, જુનાગઢ કોર્પોરેશન- 14, ગાંધીનગર કોર્પોરેશન - 13, ગીર સોમનાથ-13, જામનગર કોર્પોરેશન 13, સુરેન્દ્રનગર -13, વડોદરા -13, સાબરકાંઠા- 12, બનાસકાંઠા- 11, પંચમહાલ-10, આણંદ- 8, મોરબી-5, તાપી-5, બોટાદ- 4, અમરેલી-3, જામનગર-3, મહીસાગર-3, છોટા ઉદેપુર-1, દેવભૂમિ દ્વારકા- 1 અને નર્મદામાં 1 કેસ સામે આવ્યો છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓના કોવિડ-19ના કારણે મોત નિપજ્યું છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન - 5, સુરત કોર્પોરેશનમાં 5, રાજકોટ કોર્પોરેશન,-2, ભાવનગર-1,ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર કોર્પોરેશન -1, પાટણ-1, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં મૃત્યુઆંક 2108 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 11464 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 વેલ્ટીલેટર પર છે અને 11393 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 32944 લોકો સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 5,12, 170 ટેસ્ટ કરવામાં આવ્યા છે.