દ્વારકાઃ દેવભૂમિ દ્વારકામાં કલ્યાણપુર તાલુકાના દેવળીયામાં 36 વર્ષીય યુવકની હત્યાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.  યુવકની મહિલા સાથે આડા સંબંધમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. દેવળીયા ગામના ડફેરની ધારના વાડી વિસ્તારમાંથી યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો અને આરોપીઓ ફરાર થાય તે પહેલા જ તેમને દબોચી લીધા હતા. 


મૃતક યુવક છગનભાઈ વરુને ગામમાં જ રહેતી મહિલા સાથે લગભગ એક વર્ષથી આડાસંબંધ હતા. એક દિવસ બંનેને એકાંત માણતા મહિલાનો પુત્ર જોઇ ગયો હતો. આ પછી મહિલના પુત્ર અને તેના અન્ય એક સાથીએ સાથે મળીને માતાના પ્રેમીની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. આમ, આડા સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો.


સમગ્ર દેવળીયા અને આસપાસના વિસ્તારમાં જાણીતા છગન વરુની હત્યાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આરોપીઓએ ધારીયાના ઘા મારીને છગનની હત્યા કરી નાંખી હતી. હત્યા પછી બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી બંનેને પકડી પાડ્યા હતા. તેમમજ બંનેના કોવિડ ટેસ્ટ કરાવી હદ્યાનો ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવાની તજવીજ હાથ ધરી છે. 

Navsari : યુવતી ખેતરમાં પ્રેમી સાથે માણી રહી હતી એકાંત ને આવી પહોંચ્યો મંગેતર, પછી...


વાંસદાના કણધા ગામે થયેલી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે. કણઘાની યુવતીને સગાઈ બાદ પણ ફળિયાના કૌટુંબિક ભાઇ સાથે પ્રેમ સંબંધ હતો. યુવતી સગાઈ બાદ મંગેતરથી દૂર રહેતી હતી. મંગેતરને શંકા જતાં તપાસ કરાવી હતી, જેમાં ભાવિ પત્નીનું લફરું સામે આવતાં ઉશ્કેરાઇ ગયો હતો અને પ્રેમીની હત્યા કરીને ભાગી ગયો હતો. જોકે, પોલીસે ટેકનિલ સર્વેલન્સને આધારે આરોપીને 48 કલાકમાં ઝડપી પાડ્યો છે. 


 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, વાંસદાના કણધા ગામના સાવરપાડા ફળિયામાં રહેતા 22 વર્ષીય યુવકને તેની પારિવારક બહેન સાથે જ પ્રેમસંબંધ હતા. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ હતા. દરમિયાન  યુવતીની સગાઈ ધરમપુરના યુવાન સાથે થઈ હતી. જોકે, સગાઈ પછી પણ યુવતી પોતાના સાસરે કોઈપણ પ્રસંગે જતી ન હતી. એટલું જ નહીં મંગેતરના ફોન પણ ઉપાડતી નહોતી. 


 


યુવકને મંગેતરનું વર્તન અજુગતું લાગતા તેણે ગામમાં તપાસ કરાવી હતી. તપાસમાં ભાવી પત્નીને પારિવારિક ભાઈ સાથે જ પ્રેમસંબંધ હોવાનો ખુલાસો થયો હતો. આ જાણકારી મળતાં જ યુવક ભાવી પત્નીના ગામમાં પહોંચી ગયો હતો. જોકે, બંનેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. 


 


ખેતરમાં તપાસ કરતાં મંગેતર ભાવી પત્નીને પ્રેમી સાથે રંગરેલિયા માણતા જોઈ ગયો હતો. આ સમયે બંને યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પછી મારામારી થતાં મંગેતરે ભાવી પત્નીના પ્રેમીને બોથડ પદાર્થથી માર મારી હત્યા કરી નાખી હતી. આ હત્યા પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને હત્યા પોતે કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.