Gandhinagar: ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) પ્લાન્ટમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બનતા ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

Continues below advertisement

 

Continues below advertisement

મામલતદાર દ્વારા મળતી માહિતી મુજબ, પ્લાન્ટના 'હિટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ'માં બોઈલર ફાટવાના કારણે આ ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા હતા. સુરક્ષાના પગલે પ્લાન્ટમાંથી તાત્કાલિક તમામ કર્મચારીઓ અને લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો...Smart Meter: વીજગ્રાહકો માટે મોટા સમાચાર, હવે ગુજરાતમાં 1.20 કરોડ ઘરોમાં ફરજિયાત લાગશે સ્માર્ટ મીટર

વાહનવ્યવહાર પર અસર અને તપાસનો ધમધમાટ

આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે માણસા-કલોલ હાઈવેનો એક તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો પણ પ્લાન્ટની બહાર એકત્ર થઈ ગયા હતા. જો કે, રાહતની વાત એ છે કે, આ આગને કારણે કોઈ જાનહાની થઈ નથી.

ONGCના મોટા અધિકારીઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો

નોંધનિય છે કે, આ આગના બનાવની જાણ થતાં જ ONGCના મોટા અધિકારીઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ આગ અંગે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ અથવા ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે, સાચુ કારણ તપાસ બાદ જ સામે આવશે. હાલમાં ફાયર વિભાગ અને ONGCની ટેકનિકલ ટીમો દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તથા મશીનરીને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.

ફાયર વિભાગની કલાકોની કામગીરી બાદ હાલ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. બોઈલર કયા કારણોસર ફાટ્યું અને આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ શું હતું, તે દિશામાં ફાયર વિભાગ અને ONGCના અધિકારીઓએ સંયુક્ત રીતે તપાસ શરૂ કરી દીધી છે.