શોધખોળ કરો

મોરબી અને જામનગરમાં કોરોનાનો પ્રથમ કેસ, ગુજરાતમાં સંક્રમિત દર્દીની સંખ્યા વધીને 128 થઈ

મોરબી અને ભૂજમાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો છે. જામનગર બાદ મોરબીમાં પણ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે.

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. મોરબી અને ભૂજમાં કોરોનાનો એક-એક કેસ નોંધાયો છે. જામનગર બાદ મોરબીમાં પણ  કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 128 પર પહોંચી છે.  જામનગરમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે સુરત ગ્રામ્ય અડાજણ વિસ્તારમાં પણ વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આમ કોરોના હવે રાજ્યના 15 જિલ્લામાં પહોંચી ગયો છે. આ સાથે આજે કુલ 20 દર્દીઓ સામે આવ્યા છે. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના 128 દર્દી થઈ ગયા છે. સુરત શહેરમાં કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્યમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેર અને ગ્રામીણ મળી કુલ 16 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 2 દર્દીઓના મોત થયા છે. કોરોનાના સંકટ વચ્ચે અમદાવાદમા 70 વર્ષના પુરુષને સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 26 માર્ચના રોજ દર્દીને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા હતા. 11 દિવસ સુધી મેડિકલ તપાસનો તબક્કો પૂર્ણ કર્યા બાદ દર્દીને રજા આપવામાં આવી હતી. રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે, દીવા પ્રગટાવતી વખતે લોકો પુરી સાવધાની રાખે તે જરૂરી છે. કોઈપણ સ્થળે લોકો એકઠા થશે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને સતત પેટ્રોલિંગ કરવા માટે સૂચન કર્યું છે. ગુજરાતમાં જિલ્લા પ્રમાણે કુલ પોઝિટિવ કેસની વાત કરીએ તો રવિવાર 5 વાગ્યા સુધીમાં કેસ આ પ્રમાણે છે. ●અમદાવાદ:53 ●સુરત:16 ●રાજકોટ: 10 ●વડોદરા:10 ●ગાંધીનગર:13 ●ભાવનગર :11 ●કચ્છ:1 ●મહેસાણા -1 ●ગીરસોમનાથ -2 ●પોરબંદર 3 ●પંચમહાલ 1 ●પાટણ 1 ●છોટાઉદેપુર 1 ●જામનગર 1
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડાય
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડાય
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Surat News । જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ, જુઓ શું છે સમગ્ર મામલોSabarkantha Politics । સાબરકાંઠા બેઠક પર ભાજપના ડેમેજ કંટ્રોલના પ્રયાસJunagadh Politics । કેશોદમાં ભાજપના નેતાઓ સામે આચારસંહિતા ભંગના આરોપ સામે નોંધાઈ ફરિયાદPolitics News । શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે સાબરકાંઠા ભાજપ  ઉમેદવાર શોભના બારૈયાને આપી શુભેચ્છા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
NPPAએ પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સની કિંમતોમાં કર્યો વધારો, આ તારીખથી દવાઓ મોંઘી થશે
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
UN statement: અમેરિકા અને જર્મની બાદ હવે UNએ કેજરીવાલની ધરપકડ પર કરી ટિપ્પણી
Election 2024 Live Update:  રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Election 2024 Live Update: રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત, મોડાસામાં ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડાય
Banaskantha: બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી નહીં છોડાય
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
ચૂંટણીમાં કોને સોંપાય છે ડ્યૂટી, ગેરહાજર રહેનારા પર શું થાય કાર્યવાહી? આ સ્થિતિમાં મળી શકે છૂટ
Property Rights: શું પતિની મંજૂરી વિના પત્ની વેચી શકે છે પ્રોપર્ટી? જાણો શું કહે છે કાયદો?
Property Rights: શું પતિની મંજૂરી વિના પત્ની વેચી શકે છે પ્રોપર્ટી? જાણો શું કહે છે કાયદો?
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
કોંગ્રેસને ડબલ ફટકોઃ પહેલા હાઈકોર્ટે અરજી ફગાવી, હવે આવકવેરા વિભાગે 1700 કરોડની નોટિસ ફટકારી
LIC: LIC અને અન્ય તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓની ઓફિસ 30 અને 31 માર્ચના રોજ ખુલી રહેશે, જાણો કારણ
LIC: LIC અને અન્ય તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓની ઓફિસ 30 અને 31 માર્ચના રોજ ખુલી રહેશે, જાણો કારણ
Embed widget