અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈ કાલે રાજ્યમાં અત્યાર સુધીના એક જ દિવસના રેકોર્ડ બ્રેક 20 હજાર એક્ટિવ કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 90,726 થઈ ગયા છે. જો આવી જ રીતે આજે કેસો નોંધાશે, તો આ આંકડો ગમે ત્યારે 1 લાખને પાર થઈ શકે છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસમાંથી ખાલી અમદાવાદ જિલ્લામાં જ 31870 કેસો છે. આ પછી સુરતમાં 24332, વડોદરામાં 9660,  રાજકોટમાં  5345, ગાંધીનગરમાં  2659, ભાવનગરમાં 2455, વલસાડમાં  1969, જામનગરમાં 1656, નવસારીમાં 1197, મહેસાણામાં 1086, મોરબીમાં 1047 અને ભરુચમાં  1007 એક્ટિવ કેસો છે. 


જ્યારે ગુજરાતમાં સૌથી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુરમાં 17, બોટાદમાં   20, ડાંગમાં 23,  અરવલ્લીમાં  32 એક્ટિવ કેસ છે. આ સિવાયના જિલ્લાઓમાં હજારથી ઓછા અને 100થી વધુ એક્ટિવ કેસો છે.


રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20,966 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 9828  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,76,166 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 89.67 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  12 મોત થયા. આજે 2,02,592 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 8391, સુરત કોર્પોરેશનમાં 3318,  વડોદરા   કોર્પોરેશનમાં 1998,  રાજકોટ કોર્પોરેશનમાં 1259,  સુરતમાં 656,  ભાવનગર કોર્પોરેશનમાં 526, ગાંધીનગર કોર્પોરેશનમાં 446, વલસાડમાં 387, ભરૂચમાં 302, નવસારીમાં 278, મોરબીમાં 265, મહેસાણામાં 258, જામનગર કોર્પોરેશનમાં 255, વડોદરામા 254, આણંદમાં 247, બનાસકાંઠામાં 240, કચ્છમાં 194, ગાંધીનગરમાં 178, ખેડામાં 168, પાટણમાં 151, સુરેન્દ્રનગરમાં 146, અમદાવાદમાં 138, રાજકોટમાં 127, જૂનાગઢ કોર્પોરેશનમાં 95, નર્મદામાં 84, જામનગરમાં 80, દાહોદમાં 75, પોરબંદરમાં 61, સાબરકાંઠામાં 54, અમરેલીમાં 47, દેવભૂમિ દ્વારકામાં 46, ભાવનગરમાં 44, તાપીમાં 43, પંચમહાલમાં 42, ગીર સોમનાથમાં 39, મહીસાગરમાં 37, જૂનાગઢમાં 19, ડાંગમાં 9, અરવલ્લીમાં 4, બોટાદમાં 3, છોટા ઉદેપુરમાં 2 નવા કેસ નોંધાયા હતા.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 90726 કેસ છે. જે પૈકી 125 વેન્ટીલેટર પર છે, જ્યારે 90,601 નાગરિકો સ્ટેબલ છે. 8,76,166 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,186 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 12 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત  કોર્પોરેશનમાં 1, વલસાડમાં 2, ભરૂચમાં 1 અને સાબરકાંઠામાં બે દર્દીઓના મોત થયા છે.



 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 263 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 5643 લોકોને પ્રથમ અને 21,701 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 30,136 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 64,376 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 32,947 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 47,515 લોકોને અપાયો છે.  આજે કુલ 2,02,592 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,55,82,092 લોકોને રસી અપાઈ છે.