ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 18  કેસ નોંધાયા છે. તો બીજી તરફ 26 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,055 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી જે રાહતના સમાચાર છે.  આજે  1,60,315 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 5, નવસારી 4, રાજકોટ કોર્પોરેશન 3, અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 1 અને જૂનાગઢમાં 1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 185 કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 180 નાગરિકો સ્ટેબલ છે. 8,16,055 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10086 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વલસાડ 5, નવસારી 4, રાજકોટ કોર્પોરેશન 3, અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 1 અને જૂનાગઢમાં 1 કોરોના વાયરસનો કેસ નોંધાયો છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 872 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 10558 નાગરિકોને રસીનો પ્રથમ અને 33830 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 30299 નાગરિકોને રસીનો પ્રથમ અને 84752 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 1,60,315 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,73,51,741 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 



અમદવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર,  જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,  મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ,  સાબરકાંઠા, સુરત,    સુરેન્દ્રનગર, તાપી વડોદરા  અને વડોદરા કોર્પોરેશનમાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.